રવિવારે નોંધાયેલા કેસો આ વર્ષમાં એક દિવસમાં સૌથી વધારે કેસો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જારી કરાયેલા આંકડા અનુસાર, નવા દર્દીઓની સાથે દેશમાં કોરોનાના કેસો વધીને 1,15,99,130 થયા છે.
Lok Sabha Speaker Om Birla tested positive for COVID19 on March 19. He was admitted to AIIMS COVID Centre for observation on March 20. He is stable: AIIMS, Delhi pic.twitter.com/nhook5tr83
લોકસભા સ્પીકર ઓમ બિરલા કોરોનાથી સંક્રમિત
રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો ચેપ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ દિલ્હીની એમ્સમાં સારવાર હેઠળ છે. એમ્સે પ્રેસ રિલિઝ કરીને આ જાણકારી આપી હતી. જોકે તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
છેલ્લા 115 દિવસોમાં સૌથી વધારે કેસ
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 115 દિવસોમાં પ્રતિદિન સામે આવનાર કેસોમાં આ સર્વાધિક છે. સવારના આઠ વાગ્યા સુધીના આંકડા અનુસાર મહામારીથી 197 લોકોના મોત થયા છે જે પછી મૃતકોની સંખ્યા 1,59,755 પર પહોંચી ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર અત્યાર સુધી 1,11,30,288 દર્દીઓ સાજા થયા છે અને મહામારીથી થનાર મૃત્યુ દર 1.38 ટકા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર માર્ચમાં કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે. આ લહેર ઘણી ખતરનાક છે. કોરોનાથી ચેપથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જરુરી છે. પરંતુ હજુ પણ બજારોમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. આનાથી ચેપનો ખતરો ઝડપથી ફેલાવાનો ડર રહે છે. ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે ભોપાલમાં સીએમ શિવરાજસિંહ ચોહાણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો હતો. શુક્રવારે પશ્ચિમ બંગાળથી પરત આવ્યાં બાદ મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.