લોકસભામાં સાંસદોને બેઠકની ફાળવણી કરવામાં આવી છે. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીટ નંબર-1 એલોટ કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 467 નંબર પર બેસવાના છે.
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) ના અધ્યક્ષા સોનિયા ગાંધીને 457, કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને સીટ નંબર 458 અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને સીટ નંબર 460 એલોટ કરવામાં આવી છે.
સ્પીકરનો આ આદેશ આજથી અમલી બનાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની બાજુમાં શશી થરૂર બેસશે. તેમને 469 નંબર સીટ આપવામાં આવી છે. જો કે, રાહુલ અને શશી થરૂરની વચ્ચે 468 નંબર સીટ પર સાંસદ મોહન એસને જગ્યા આપવામાં આવી છે. શશી થરૂરની બાજુમાં કનિમોજી અને એ.રાજા બેસશે. જેમને ક્રમશ: 470 અને 471 નંબર ફાળવવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીના પીઢ નેતા મુલાયમ સિંહ યાદવને સીટ નંબપ 455 પર બેઠશે. સોનિયા ગાંધીને સીટ નંબર 457ની ફાળવણી કરવામાં આવી છે. 456 નંબરની સીટ ટીઆર બાલૂને ફાળવવામાં આવી છે. 458 નંબર બેઠક લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી બેસશે. 460 નંબર બેઠક SP અધ્યક્ષ અખિલેશ યાદવને એલોટ કરવામાં આવી છે. 461 નંબર સીટ નેશનલ કોંન્ફ્રેન્સના નેતા ફારુક અબદુલ્લાને આપવામાં આવી છે. NCP સાંસદ સુપ્રિયા સુલે 462 નંબર બેઠક પર બેસશે.
જો લોકસભામાં આગળની હરોળની વાત કરે તો 1 નંબર બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 2 નંબર ઉપર રક્ષામંત્રી રાજનાથ સિંહ, 3 નંબર સીટ પર ગૃહમંત્રી અમિત શાહ બેસશે. 4 નંબર બેઠક પર કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને ફાળવવામાં આવી છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીને 7 નંબર બેઠક ફાળવવામાં આવી છે જ્યારે 8 નંબરની બેઠક ખાલી રાખવામાં આવી છે.