લોકસભા ચૂંટણી 2019ની એક્ઝિટ પોલ ભલે એનડીએનને પૂર્ણ બહુમતી મળવાની સંભાવનાઓ જણાવતી હોય, પરંતુ વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર બનાવવા માટે કોઇ પણ મોકો અજમાવવા કમર કરી રહ્યું છે. કોંગ્રેસ સહિત કેટલી પાર્ટીઓ આ રણનીતિ પર કામ કરી રહી છે કે જો એનડીએને પૂર્ણ બહુમતી ન મળે તો તેમના હાથે સરકાર બનાવવાનો મોકો ન છૂટે.
મતગણતરી પહેલા વિપક્ષની સરકાર બનાવવા કવાયત
મતગણતરી પહેલા જ વિપક્ષી દળોએ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત હાથ ધરી છે. વિપક્ષી પાર્ટીઓનું માનવું છે કે પરિણામોમાં કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ નહીં મળે અને ત્રિશંકુ લોકસભાની સ્થિતિ બનશે. જેને લઇને સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપાનાર આ પત્ર પર આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, બહુજન સમાજપાર્ટીના નેતા સતીશ મિશ્રા, પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા પ્રફૂલ પટેલ અને ડીએમકેના એક નેતાના હસ્તાક્ષર છે. કોંગ્રેસ સ્થાનિક પક્ષોના આ અભિયાનનો ભાગ નથી.
UPA સિવાયની વિપક્ષી પાર્ટીઓ પરિણામ પહેલા સરકાર રચવાનો દાવો કરશે
આવતીકાલે 23મીએ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે રાજકીય પક્ષો સરકાર રચવાને લઇને દાવાઓ કરી રહી છે. એક્ઝિટ પોલમાં NDAને બહુમતિ મળી રહી છે ત્યારે UPA સિવાયની વિપક્ષી પાર્ટીઓ પરિણામ પહેલા સરકાર રચવાનો દાવો કરશે.
વિપક્ષના સૂત્રોએ જણાવ્યું કે UPA સિવાયની વિપક્ષી પાર્ટીઓ 23મી મે પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગઠબંધનથી સરકાર રચવાનો દાવો કરશે. જો એનડીએ બહુમતી મેળવવામાં નિષ્ફળ જશે તો રાષ્ટ્રપતિ સૌથી પહેલા નવા રચાયેલ વિપક્ષ ગઠબંધનને બહુમતી સાબિત કરવા માટે મંજૂરી આપે. જોકે જે પાર્ટી ભાજપ અને એનડીએ વિરોધી છે અને જે યુપીએનો પણ ભાગ નથી, તેઓ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રાષ્ટ્રપતિને પત્ર લખશે.