લોકસભાની કાર્યવાહી શુક્રવારના રોજ 14 સાંજના ચાર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આમ આવી રીતે નિચલા ગૃહમાં બજેટ સત્રનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે.
14 માર્ચ સુધી સદનની કાર્યવાહી સ્થગિત
બજેટ સત્રનો પ્રથમ તબક્કો સમાપ્ત
લોકસભા સ્પિકરે તમામનો આભાર માન્યો
લોકસભાની કાર્યવાહી શુક્રવારના રોજ તારીખ 14 માર્ચ સાંજના ચાર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આમ આવી રીતે નિચલા ગૃહમાં બજેટ સત્રનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે. તો વળી રાજ્યસભાની કાર્યવાહી સામાન્ય બજેટ 2022-23 પર થયેલી ચર્ચાનો નાણામંત્રી નિર્મલા સીતારણ તરફથી જવાબ આપ્યા બાદ શુક્રવારે 14 માર્ચના રોજ સવારે દશ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અને તેની સાથે ઉચ્ચ સદનમાં બજેટનનું સુચારૂ રીતે કામકાજ માટે સભ્યોનો આભાર પણ માન્યો હતો. તેમણે જણાવ્યા પ્રમાણે આ દરમિયાન કાર્યવાહી 121 ટકા રહી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બજેટ સત્રના પ્રથમ તબક્કામાં થયેલા કામકાજનો ઉલ્લેખ કરતા શુક્રવારે કહ્યુ કે, સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા માટે આપવામાં આવેલા 12 કલાકના સમયની જગ્યાએ 15 કલાક 13 મીનિટ ચર્ચા થઈ. જેમાં 60 સભ્યોએ ભાગ લીધો. 60 અન્ય સભ્યોએ પોતાનું લેખિત ભાષણ પટલ પર રાખ્યું હતું.
The Lok Sabha adjourned to resume its second part of the Budget Session on March 14 after a recess of one month. pic.twitter.com/FdRXg3QsXP
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આવી રીતે સામાન્ય બજેટ પર સામાન્ય ચર્ચા માટે ફાળવવામાં આવેલા 12 કલાકની જગ્યાએ કુલ 15 કલાક 33 મીનિટ ચર્ચા થઈ હતી. જેમાં 81 સભ્યોએ ભાગ લીધો અને 63 અન્ય સભ્યોએ પોતાના લેખિત ભાષણ સભા પટલ પર રાખ્યા. ઓમ બિરલાએ બજેટના પ્રથમ ચરણમાં તમામ સભઅયોની એક્ટિવ ભાગીદારી અને પોઝિટીવ સહયોગને રેખાંકિત કરતા કહ્યું કે, કોરોના સંક્રમણનો પડકાર હોવા છતાં પણ સદન મોડી રાત સુધી કામ કરતું રહ્યું અને પોતાના સંવૈધાનિક દાયિત્યો પ્રત્યે કટિબદ્ધકા નિભાવી હતી, જેમાં અમે 121 ટકા કામકાજ થયું છે.
આવનારા સમયમાં પણ આવો જ સહકાર આપવા વિનંતી
તેમણે કહ્યું કે, આ દરમિયાન તમામ સભ્યોએ સદનમાં સંચાલિત કરવામાં પોતાની પોઝિટીવ સહયોગ આપ્યો અને તમામ વિષયો પર વ્યાપક ચર્ચા-સંવાદ થયો હતો. ઓમ બિરલાએ સભ્યોને કહ્યું કે, આ પરંપરા આપણા લોકતંત્રને મજબૂત બનાવે છે. ત્યારે આવા સમયે સમૃદ્ધ સંવાદથી આપણી સંસદીય પ્રણાલી પણ વધારે મજબૂત થાય છે. દેશના નાગરિકો પણ લોકતાંત્રિક સંસ્થાઓમાં વિશ્વાસ વધારે મજબૂત થશે. એટલા માટે આપ તમામ સભ્યોને સાધુવાદ આપું છું. તેમણે એવું પણ કહ્યું કે, મને આશા છે કે, આપનો સકારાત્મક સહયોગ ભવિષ્ય માટે આવી જ રીતે મળતો રહેશે.