ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં પ્રથમ વખતે રોકડ મળવાના કારણે કોઇ બેઠક પર લોકસભા ચૂંટણી રદ્દ કરવામાં આવી હોય. અંદાજે 11 કરોડ રૂપિયાની રોકડ રકમ મળ્યાં બાદ તમિલનાડૂના વેલ્લોર બેઠક પર ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી આયોગની ભલામણ પર મંગળવાર રાત્રે આ અંગેની જાહેરાત કરી.
ચૂંટણીમાં કેશ ફોર વોટનો મામલો નવો નથી, પરંતુ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં પ્રથમ વખતે રોકડ મળવાના કારણે કોઇ બેઠક પર લોકસભા ચૂંટણી રદ્દ કરવામાં આવી હોય. અંદાજે 11 કરોડ રૂપિયાની રોકડ રકમ મળ્યાં બાદ તમિલનાડૂના વેલ્લોર બેઠક પર ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી આયોગની ભલામણ પર મંગળવાર રાત્રે આ અંગેની જાહેરાત કરી. ચૂંટણી આયોગના આ નિર્ણય બાદ દેશના રાજકારણ ગરમાયું છે.
વેલ્લોર બેઠકના ડીએમકેના કોષાઅધ્યક્ષ દૂરઇમુર્ગનના દિકરા ડીએમ કથિર આનંદ ડીએમકે ઉમેદવાર છે. ચૂંટણી આયેગના આ નિર્ણયને દુરઇમુર્ગને લોકતંત્રની હત્યા ગણાવી. તેમણે કહ્યું કે વિપક્ષી દળને ડરાવવા આ પગલું ભરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડીએમકે ઉમેદવાર પર કેશ ફોર વોટનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ ચૂંટણી આયોગે 14 એપ્રિલના રોજ ચૂંટણી રદ્દ કરવાની ભલામણ કરી હતી.
ખરેખર તો, સ્થાનિક પ્રશાસનની ફરિયાદ પર ઇન્કમટેક્સ વિભાગની ટીમે ડીએમકે કોષાધ્યક્ષ દુરીમુર્ગનના ઘર પર 30 માર્ચના રોજ દરોડા પાડયા હતા. તેના એક દિવસ બાદ 1 એપ્રિલના રોજ ડીએમકેના જ પાર્ટીના પદાધિકારી સીમેન્ટ ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યાં. આયકર વિભાગે અહીંથી 11 કરોડ રોકડ રકમ જપ્ત કરી.
8 એપ્રિલના રોજ ચૂંટણી આયોગે ડીએમકે ઉમેદવાર કથિર આનંદ અને તેના બે નજીકના પૂજોલાઇ શ્રીનિવાસન અને દામોદરન વિરુધ્ધ મામલો દાખલ કર્યો. એક અહેવાલ મુજબ સીમેન્ટ ગોડાઉનનો માલિક દામોદરન છે. આ કેસમાં દાવા કરવામાં આવ્યો છે કે પૂનજોલાઇ શ્રીનિવાસને માન્યું કે આ પૈસા તેમના હતા અને આ ગોડાઉનમાં મતદારોને આપવા માટે રાખવામાં આવ્યાં હતા.