લોકસભામાં એનઆઇએ (NIA) બિલ પર આજે (સોમવારે) મતદાન થયાં બાદ બિલને સદનમાં પાસ કરવામાં આવ્યું છે. આ બિલના પક્ષમાં 278 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 6 મત પડ્યા હતા. બિલ પર લાવવામાં આવેલ તમામ સંશોધન પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યા છે.
ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી બિલ 2019ને ચર્ચામાં રજૂ કરતા કહ્યું કે, આ બિલના પાસ થવાથી NIA ને વધુ મજબુતી પ્રાપ્ત થશે અને આતંકવાદી ગતિવિધિઓથી જોડાયેલ મામલે તેઓ વિદેશ જઇને તપાસ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, આ બિલ પાસ થવાથી તપાસ એજન્સીને હથિયારોની હેરાફેરી, નશાકારક પદાર્થોની હેરાફેરી તથા માનવ હેરફેર અને સાઇબર ક્રાઇમ તપાસ સંબંધી મામલે અભ્યાસ કરવાનો વધારાનો અધિકાર મળ્યો છે. NIA ને આ પ્રકારના મામલાની તપાસનો અધિકાર આપીને દેશહિતમાં તેમની ભૂમિકાને વધુ ગંભીર બનાવવામાં આવી છે.
લોકસભામાં શું થયું...?
નોંધનીય છે કે, NIA સંશોધિત બિલ પર જ્યારે સોમવારના રોજ લોકસભામાં ચર્ચા શરૂ થઇ તે દરમિયાન મુંબઇ પોલીસના પૂર્વ કમિશનર તથા ભાજપના સાંસદ સત્યપાલ સિંહે જણાવ્યું કે, આતંકવાદ એટલા માટે વધુ પ્રસર્યો છે કારણ કે આપણે તેને રાજનીતિક ચશ્માથી જોઇ રહ્યા છીએ જ્યારે આપણે મળીને લડવું જોઇએ.
#WATCH: Union Home Minister Amit Shah says in Lok Sabha,"sunne ki bhi aadat daliye Owaisi Sahab, iss tarah se nahi chalega." Shah said this after AIMIM MP Asaduddin Owaisi objected to a part of BJP MP Satya Pal Singh's speech during discussion on NIA Amendment Bill. pic.twitter.com/QsbwsqYcKp
તેમણે કહ્યું કે, મુંબઇએ આતંકવાદને ખુબ જ સહન કર્યો છે, કારણ કે તેને રાજનીતિના અરીસામાં જોવામાં આવ્યો છે. ભાજપ સાંસદે કહ્યું કે, હૈદરાબાદ ધમાકામાં જ્યારે પોલીસે કેટલાક અલ્પસંખ્યક સમુદાયમાંથી આવનારા સંદિગ્ધોને પકડ્યા તો સીધા જ મુખ્યમંત્રી તથા કમિશનરે કહ્યું કે આવું ના કરો નહીંતર તમારી નોકરી ચાલી જશે.
ઓવૈસીએ વ્યક્ત કર્યો વિરોધ અને ભડક્યા અમિત શાહ
ભાજપ સાંસદના નિવેદન પર હૈદરાબાદના સાંસદ સદ્દ્દ્દીન ઓવૈસીએ વિરોધ કર્યો હતો. હજી સદ્દ્દ્દીન ઓવૈસી બોલવાનું શરૂ કરે છે ત્યાં જ ગૃહમંત્રી અમિત શાહ ઉભા થયાં. તેમણે કહ્યું કે, ઓવૈસી સાહેબ સાંભળવાની પણ તાકાત રાખો. જ્યારે એ.રાજા બોલ્યા ત્યારે તમે કેમ ઉભા ન થયાં. એવું નહીં ચાલે, સાંભળવું જ પડશે અને ત્યારબાદ સંસદ ભવનમાં હંગામો શરૂ થયો હતો.