આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પર થયેલી ચર્ચા પર જવાબ આપ્યો.
જમાઇને કોઇપણ રાજ્યમાં જમીન મળી જતી હતી
પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે જે લોકો અમારી પર કડક થઇને ડીલ કરપવાનો આરોપ લગાવે છે તેમને કહેવા માગુ છુ કે સ્વનીધી યોજનાના રુપિયા ક્રોનીજોને જતા નથી. જમાઇને એવા રાજ્યમાં જમીન મળે છે જ્યાં પહેલા કોઇ પક્ષનું શાસન ચાલ્યા કરતા હતું. રાજસ્થાન...હરિયાણામાં ક્યારેક એવું થતું હતું.
અમે જમાઇ માટે કામ નથી કરતા
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાથી ગરીબોને ફ્યદ થયો છે. અમે તેઓ માટે કામ કરીએ છીએ....કોઇ જમાઇ માટે કામ નથી કરતાં.
જમાઇ કેરળમાં નહીં અહી રહે છે
કોંગ્રેસ પર હલ્લાબોલ કરતા કહ્યું કે શશી થરુર અહી ઉપસ્થિત છે. કેરળમાં જ્યારે તેમની પાર્ટીની સરકાર હતી તો તે લોકોએ એક ક્રોનીને અહીં બોલાવ્યો હતો. ન કોઇ ટેન્ડર અને ના કાંઇ વધુ આ લોકો અમને કટ્ટર મૂડીવાદી કહે છે? એવું એટલા માટે કે કેરળમાં કોઇ જમાઇ નથી રહેતું.. જમાઇ અહી રહે છે. નાણા મંત્રીએ કહ્યું અમારી જનતા જ અમારી છે, જેઓને સરકાર મકાન મળે છે, સ્વનિધિ યોજના નો ફાયદો થાય છે.
PM મોદીના અનુભવો પર આધારિત બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે 1991માં પછી લાઇસેંસ અને કોટા રાજ જઇ રહ્યું હતુ આ દરમિયાન ગુજરાતમાં કેટલાક કામ થઇ રહ્યાં હતા અને તેના અનુભવના આધારે પોતાના રિફોર્મ્સને આ બજેટમાં સામેલ કરવામાં આવ્યું.
Stimulus plus reforms - an opportunity has been taken out of pandemic situation. A challenging situation like pandemic didn't deter Govt from taking up reforms that are going to be necessary for sustaining long term growth for this country: FM Sitharaman in Lok Sabha#Budget2021pic.twitter.com/nZ888W9kly
લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપનાર છે. સીતારમણે કહ્યું કે મહામારી હોવા છતા દેશ આત્મનિર્ભર બનશે. નાણા મંત્રી એ કહ્યું કે બજેટમાં જે રિફોર્મ્સનું પ્રાવધાન કરવામાં આવ્યું તેના કારણે ભારતનું દુનિયાની ટોપ ઇકોનોમી બનવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો.
મહામારીનો પડકાર પણ રિફોર્મ્સની ગતિને રોકી ના શકી
નિર્મલા સિતારમણે કહ્યું કે આ બજેટમાં મહામારીના કારણે અવસર માટે શોધ કરવામાં આવી. મહામારી જેવો પડકાર પણ સરકારના રિફોર્મ્સ પર પગલુ ભરવાથી રોકી ના શકી. જે દેશના લાબા સમયના વિકાસ માટે જરુરી હતો.
કોરોનાને હરાવ્યો, ઇકોનોમીએ પકડી ગતિ
બજેટ પર ચર્ચા પરનો જવાબ આપતો નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દુનિયાના ઘણા દેશોમાં જ્યાં કોરોના ફરી પોતાનો કહેર બતાવી રહ્યો છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે કોરોનાને હરાવ્યો. તેમણે કહ્યું કે ભારતમાં કોરોના પર કંટ્રોલનું કારણ ઇકોનોમીની ગતિ વધી અને આપણે પ્રધાનમંત્રી મોદીના લક્ષ્ય આત્મનિર્ભર ભારત તરફ પગલું આગળ વધ્યું છે.