આજે આપણે એક એવી બેઠકની વાત કરવા જઈ રહ્યા છે. જ્યાંથી જ રાજ્યભરમાં રાજનીતિના મુળિયાં ફેલાયા છે. જેને આપણે રાજનીતિનું એપી સેન્ટર પણ માનીએ છીએ. જીંહા આપણે વાત કરીએ છીએ પાટનગર ગાંધીનગર લોકસભા બેઠકની. આ બેઠકનું રાજ્યની રાજનીતિની સાથે-સાથે દેશની રાજનીતિમાં પણ ખુબ મોટું મહત્વ રહેલું છે. કારણ કે, આ જ બેઠક પરથી દેશના પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી સાંસદ બન્યા હતા. અને આજ બેઠક પરથી પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી વર્ષો સુધી સાંસદ રહ્યા. અને આજે પણ સાંસદ છે. પરંતુ 2019માં ભાજપે પોતાના વરિષ્ઠ નેતાનું પત્તું કાપી.. પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસના જાણે અહીં મોતિયા મરી ગયા હોય તેવું વર્ષોથી વાતાવરણ છે. જોકે હાલ 2019નો માહોલ છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્યાંકને ક્યાંક જનતા ભાજપથી નારાજ છે. તો લોકોની સમસ્યાઓ પણ છે. આ તમામ મુદ્દે ચર્ચા કરીશું પરંતુ તે પહેલા એક નજર પાટનગરના આ નાનકડા અહેવાલ પર પણ કરી જોઈએ..