મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની તુલના ટાઇટનિક જહાજ અને ગજની સાથે કરી હતી. નાંદેડમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની હાલત ટાઇટનિક જહાજ જેવી છે. જે એક નવા દિવસ સાથે ડૂબી રહી છે.
મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની તુલના ટાઇટનિક જહાજ અને ગજની સાથે કરી હતી. નાંદેડમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની હાલત ટાઇટનિક જહાજ જેવી છે. જે એક નવા દિવસ સાથે ડૂબી રહી છે.
PM Modi in Nanded: Congress ke naamdaar ne microscope le kar bharat mein ek aisi seat khoji hai jahan par vo muqabala karne ki taakat rakh sake. Seat bhi aisi jahan par desh ki majority minority mein hai. #Maharashtrapic.twitter.com/vFYvtuoA4j
કોંગ્રેસની સાથે જે લોકો આ જહાજમાં બેઠેલા છે તેઓ NCP ની જેમ પોતાને ડૂબાડી રહ્યા છે અથવા ઉભા થઇને ભાગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સંકટમાં મુકાય છે ત્યારે ખોટા વાયદાના પટારા ખોલી દે છે. પરંતુ ત્યારબાદ 'ગજની' બની જાય છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એટલી હદે નબળી પડેલ છે કે અહીં જેટલા ધારાસભ્યો છે તેનાથી વધારે તો તેમનામાં ગ્રુપ પડી ગયા છે. આ ગ્રુપ અંદરો-અંદર લડી રહ્યા છે. જ્યાં આ પ્રકારની મિલાવટ હોય તે દળ શું મહારાષ્ટ્રને સંભાળી શકે..?
PM in Nanded: Congress ki haalat titanic jahaz ki tarah hai, ye har ek naye din ke sath duubti hi ja rahi hai. Congress ke sath jo jo iss jahaz mein baetha tha vo NCP ki tarah ya toh khud bhi duub raha hai ya uth uth kar ke bas jaan bachane ke liye bhaag raha hai.#Maharashtrapic.twitter.com/67LCTJeFjF
આ સાથે જ રાહુલ ગાંધીને આડેહાથ લેતા વડાપ્રધાને પ્રહાર કરતા કહ્યું કે, જે નવી બેઠક નામદારે શોધી છે ત્યાની સ્થિતિ શું છે તે સોશ્યલ મીડિયા પરથી જાણી શકાય છે. કોંગ્રેસને ઝંડો ક્યાં છે તે શોધવું પડી રહ્યું છે તેવા હાલ કોંગ્રેસના થઇ ગયા છે. ભ્રષ્ટાચાર જ કોંગ્રેસની વિરાસત છે.
આજે નામદાર પરિવાર જામીન પર બહાર છે અને કેટલાય પૂર્વ મંત્રીએ કોર્ટ અને કચેરીના ધક્કા ખારી રહ્યા છે. આ પ્રકારના કારનામાઓને લઇને જ કોંગ્રેસ 44 બેઠકો સુધી પહોંચી અને આ વર્ષે સંકટ વધારે ગંભીર છે.