ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં પોત-પોતાના ઉમેદવારોને ઉતારી દીધા છે. પરંતુ ગુજરાતમાં આ વખતે ઉમેદવારોની જીતનો ફેંસલો OPT મૉડલ પર થશે. ભાજપ-કોંગ્રેસ બંનેએ આ મૉડલને અપનાવ્યું છે.
ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં પોત-પોતાના ઉમેદવારોને ઉતારી દીધા છે. પરંતુ ગુજરાતમાં આ વખતે ઉમેદવારોની જીતનો ફેંસલો OPT મૉડલ પર થશે. ભાજપ-કોંગ્રેસ બંનેએ આ મૉડલને અપનાવ્યું છે.
શું છે OPT મૉડલ અને કેવી રીતે ગુજરાતમાં તે કરશે કામ?
કોઈપણ પ્રવાસીની નજરે જોઈએ તો પહેલી નજરે ગુજરાત એક ઉદ્યોગ સાહસિક રાજ્ય છે. જ્યાં હિન્દુત્વનું સ્તર ઊંચું છે. પરંતુ રાજકારણની વાત કરીએ તો યુપી અને બિહારની જેમ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ જ્ઞાતિ ગણિત ખુબ પ્રભાવશાળી બન્યું છે. તેવામાં ગુજરાતમાં આ વખતે જ્ઞાતિ સમિકરણ ઓપીટી મૉડલ માનવામાં આવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ મૉડલ પર વધુમાં વધુ રાજકીય લાભ ખાટવા માટે એકબીજાથી આગળ નિકળવાની પળોજણમાં છે. કારણ કે, બંને પક્ષોના ઉમેદવારોની યાદી જોઈએ તેના પરથી સ્પષ્ટ છે કે, ઉમેદવારોની જીત માટે ઓપીટી મૉડલ તેની જરૂરત બની ગયું છે.
પરંતુ તમને સવાલ થતો હશે કે, ઓપીટી મોડલ છે શું? તૌ સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે, ઓપીટી એટલે કે, ઓબીસી, પાટીદાર અને ટ્રાઈબલ એવો અર્થ થાય છે. એટલે ભાજપ અને કોંગ્રેસ બંને ઓપીટી દ્વારા પોત-પોતાની 25 વર્ષ જુની સ્થાનિક અસ્મિતા સાથે જોડાયેલા મતદારો પર આધાર રાખવાની છબી દૂર કરવાની કોશિશ કરશે. 80 દાયકામાં માધવસિંહ સોલંકીના નેતૃત્વ કોંગ્રેસે ગુજરાતમાં `ખામ' એટલે કે, ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ મૉડેલની શોધ કરી હતી. જેના દ્વારા તેઓ 10 વર્ષ સુધી સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. તેવી જ રીતે આ વખતે બંને પક્ષો ઓપીટી પર ચૂંટણી લડવા નિકળ્યા છે.