લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના સહયોગીઓને મનાવવામાં પડી છે. પહેલા તેણે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કર્યું હતુ. ઘણા સમયથી ચાલતા વિવાદનો અંત લાવ્યા હતા. મહારાષ્ટ્ર બાદ હવે ભાજપે AIADMK સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર ગઠબંધન બાદ ફરી એકવાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે મહત્વની ચાલ રમી છે. લોકસભાની ચૂંટણી માટે મહત્વનું ગણાતું રાજ્ય તમિલનાડુમાં ગઠબંધનની જાહેરાત કરી છે. ભાજપે AIADMK સાથે ગઠબંધનની કર્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ તમિલનાડુમાં 5 બેઠક પર ચૂંટણી લડશે. તમિલનાડુમાં પુડુચેરીનો સમાવેશ કરીને લોકસભાની કુલ 39 સીટો છે. AIADMK આ અગાઉ પીએમકે સાથે ગઠબંધનની જાહેરાત કરી 7 બેઠકો આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામી અને ઉપમુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમની હાજરીમાં આ ગઠબંધનની જાહેરાત કરાઈ હતી.
આ જાહેરાતના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ 25 અને શિવસેના 23 બેઠક પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શાબ્દિક બોલાચાલી ચાલી રહી હતી. તમિલનાડુ લોકસભાની દ્રષ્ટીએ મહત્વના રાજ્યોમાનું એક રાજ્ય છે. અહીં 39માંથી ભાજપ પાસે માત્ર 1 સીટ છે. બાકીની તમામ સીટ AIADMKની પાસે હતી. હાલ સરકાર ફરીવાર લાવવા માટે ભાજપ પોતાની તમામ પ્રયાસ કરી રહી છે.