પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ પર નામાંકન કરનાર તેજ બહાદુર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે બીએસએફના પૂર્વ જવાનની ઉમેદવારીને ફગાવી દીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ પર નામાંકન કરનાર તેજ બહાદુર યાદવ હવે ચૂંટણી લડી શકશે નહીં, તેજ બહાદુરના નામાંકન કાગળોમાં ભૂલો મળી આવી હતી અને એમને એએ પ્રમાણપત્ર જમા કરવા માટે કહ્યું હતું પરંતુ એ કરી શક્યા નહીં.
તેજ બહાદુર યાદવ ખુદે જ નામાંકન સ્થળથી બહાર આવીને એની જાણકારી આપી. વારાણસી જિલ્લા નિર્વાચન કાર્યાલયે તેજ બહાદુર યાદવને મંગળવારે ચૂંટણી પંચ પાસેથી પોતાની બરતરફીના મામલે પ્રમાણપત્ર લાવવા માટે એખ નોટિસ જારી કરી હતી.
તમને જણાવી દઇએ કે તેજ બહાદુર યાદવે નિર્દલીય વારાણસીથી નામાંકન કર્યું હતું, પરંતુ ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ એમનું સમર્થન કર્યું હતું. સમાજવાદી પાર્ટી ચૂંટણી પંતના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટનું વલણ કરી શકે છે.
સમાજવાદી પાર્ટીએ પોતાના પ્રત્યાશી શાલિની યાદવની જગ્યાએ તેજ બહાદુર યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ડો કે શાલિની યાદવે નિર્દળીય ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન કર્યું છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં એટલે કે 19 મે વોટ નાંખવામાં આવશે.