ભાજપના બાગી સાંસદ શત્રુધ્ન સિન્હા આજે કોંગ્રેસમાં શામેલ થઇ શકે છે. પાર્ટીમાં શામેલ થતા પહેલા જ તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બની ચૂક્યા છે. કોંગ્રેસે બિહારમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમને જગ્યા આપી છે. ચર્ચા ચે કે તેઓ પોતાની હાલની સીટ બિહારના પટના સાહિબથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે.
શત્રુધ્ન સિન્હા પહેલા કોંગ્રેસમાં 28 માર્ચના જ શામેલ થવાના હતા, પરંતુ બિહારમાં મહાગઠબંધનની સીટોને લઇને મામલો અટકી ગયો. રાહુલ ગાંધી સાથે કરેલી મુલાકાત પછી શત્રુધ્ન સિન્હાએ જણાવ્યુ કે, ''તેઓ 6 એપ્રિલના કોંગ્રેસમાં શામેલ થશે, નવરાત્ર દરમિયાન સારા સમાચાર મળશે.''
ચર્ચા છે કે, કોંગ્રેસ તેમણે પટના સાહિબ સીટથી પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખી શકે છે. આ સીટથી તેઓ સતત 2 વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. ભાજપે આ વખતે તેમની ટિકિટ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને આપી છે. પાર્ટીમાં શામેલ થતા પહેલા કોંગ્રેસે બિહારના ચૂંટણી પ્રચાર માટે જારી કરેલી યાદીમાં તેમને જગ્યા આપી છે.
ભાજપમા રહેતા સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ટીકા કરવાને કારણે પાર્ટીએ આ વખતે શત્રુધ્ન સિન્હાને ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને આપી છે.રવિશંકર અને શત્રુધ્ન સિન્હા બંને કાયસ્થ વર્ગથી આવે છે. આ સીટ પર આ વર્ગના મતદાતાઓની સંખ્યા વધારે છે. ગત ચૂંટણીમાં આ વોટ બેંકના કારણે JDUએ પણ સિન્હાના નજીકના ડો. ગોપાલ પ્રસાદ સિન્હાને મેદાનમાં ઉતાર્યા હતા. વર્ષ 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં શત્રુધ્ન સિન્હાને 50%થી વધારે લોકોના વોટ મળ્યા હતા.
ભાજપનું 35 વર્ષની સફર સમાપ્ત:
શત્રુધ્ન સિન્હાના રાજનીતિક સફરની શરૂઆત 1984માં થઇ, જ્યારે અટલ બિહારી વાજપેયીની અગુવાઇમાં ભારતીય જનતા પાર્ટીનો હાથ થામ્યો. પાર્ટીએ તેમના વ્યકિત્વ અને દમદાર અવાજના કારણે તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા. 1996 અને 2002માં NDAની તરફથી રાજ્યસભા સાંસદ તરીકે પસંદ થયા. 2003-2004માં કેબિનેટ મંત્રી બન્યા. આ પછી 2009 અને 2014માં બિહારના પટના સાહિબ સીટ પરથી સાસંદ બન્યા. લાલ કૃષ્ણ અડવાણી તેમને રાજનીતિમાં લઇને આવ્યા. આજે જ્યારે ટિકિટ કપાતાની સાથે અડવાણી યુગનો સમાપ્તિનો સંકેત મળી રહ્યો છે ત્યારે શત્રુધ્નની રાજનીતિક ઇનિંગ પણ પૂરી થઇ છે. કોંગ્રેસમાં તેમની બીજી ઇનિંગની શરૂઆત થશે.