લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના ચાર વર્તમાન ધારાસભ્યોને મેદાને ઉતાર્યા હતા. ત્યારે આ તમામ ધારાસભ્યોની જીત તથા હવે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. આજે વિધાનસભાના અધ્યક્ષને તેઓ પોતાનું રાજીનામું સોંપશે.
ભાજપના 4 ધારાસભ્યો હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ, ભરત ડાભી અને પરબત પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. જ્યારે પરબત પટેલ મંત્રીપદેથી પણ રાજીનામું આપશે. આ ધારાસભ્યોની વાત કરવામાં આવે તો હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.
પંચમહાલ લોકસભાથી શ્રી રતનસિંહ રાઠોડને લોકસભા ચૂંટણીમાં મળેલ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/DkF29hDiNs
રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પાણી પુરવઠાના રાજ્યમંત્રી પરબત પટેલ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે ભરતસિંહ ડાભી પાટણ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જેને લઈને સાંસદ તરીકે શપથ લેતા પહેલા આ તમામ નેતાઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને તેમની ખાલી થનાર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.