લોકસભા ચૂંટણી 2019ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે, તો અન્ય તબક્કાના મતદાન માટે પ્રચાર થઇ રહ્યુ છે. રેલીઓ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ બને છે જે નેતાઓ માટે મુશ્કેલી ઉભી કરી દે છે. કંઇક આવુ જ ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે થયુ, જ્યારે તેઓ બિહારમાં રેલી કરી રહ્યા હતા. જ્યારે રેલી કરતા સમયે રાજનાથ સિંહે લોકોને પૂછ્યુ કે 'તમને ખેડૂત યોજના હેઠળ 2000 રૂપિયાનું હપ્તો મળ્યો?' તો ખેડૂતોની તરફથી જવાબ મળ્યો, 'ના નથી મળ્યો.'
વાસ્તવમાં રાજનાથ સિંહ બુધવારે બિહારના પૂર્ણિયા સીટ પર NDA માટેની રેલી સંબોધિત કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન રાજનાથ સિંહ રેલીમાં હાજર લોકોને પૂછ્યુ કે, તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળ્યો, તો ખેડૂતોએ જવાબ 'ના' માં આપ્યો.
આ પછી 'ના' કહી રહેલા લોકોને રાજનાથ સિંહ હાથ નીચે કરવા માટે કહ્યુ, તેમણે તેમ પણ કહ્યુ કે, જો કોઇ 2-4ના રૂપિયા મળ્યા હોય તો પણ હાથ ઉંચા કરી દો, પરંતુ કોઇએ હાથ ઉપર ના કર્યો. ચોંકી ગયેલા રાજનાથ સિંહે મંચ પર બેઠેલા લોકોને પૂછ્યુ 'વાસ્તવમાં કોઇને હપ્તો નથી મળ્યો?'
મંચ પર થોડો સમય વાતચીત કર્યા પછી રાજનાથ સિંહે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપ્યુ કે, ''અમે દેશના ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક આપવાની મદદ કરી રહ્યા છીએ, જેના હેઠળ 2000 રૂપિયાનો પહેલો હપ્તો આપવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોને નથી મળ્યો તેને પહેલો હપ્તો જલ્દીથી મળી જશે.''
ઉલ્લે્ખનીય છે કે, લોકસભા ચૂંટણીના કેટલાક સમય પહેલા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના લોન્ચ કરી હતી, જેમાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 600 રૂપિયાની વાર્ષિક મદદ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ 2019ના સંકલ્પપત્રમાં વચન આપ્યુ છે કે, ફરી સરકાર બનતા દેશના તમામ ખેડૂતોને આ રકમ આપવામાં આવશે.