દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપો લગાવ્યા. અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં ખાસ કરીને દિલ્હીના વેપારી વર્ગને સંબોધિત કર્યો અને જણાવવાનો પ્રયત્ન કર્યો કે, જો આપ સાત સીટ પર જીતે છે તો વેપારીઓના મુદ્દાને પૂરજોશથી સાંસદમાં ઉઠાવીને તેનું સમાધાન કરવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ''આજે વેપારી વર્ગ પોતાને અસહાય માને છે, ભાજપ છોડીને ક્યાંય બીજે જવા ઇચ્છે છે. હું તમને અપીલ કરું છું કે તમને મોદીજીનો સાથ આપીને શું મળ્યુ, હવે તમે મારો સાથ આપો, હું છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવિશ.''
દિલ્હીના CMએ આગળ વેપારીઓને અપીલ કરતા કહ્યુ કે, ''7 સીટ અમને જીતાડો અમે દિલ્હીના વેપારીઓનો સાથ આપીશુ. મોદી સરકાર આમ પણ રાજનીતિક વિરોધીઓને હેરાન કરતી રહે છે અને વેપારીઓને પણ ડરાવી રાખ્યા છે.''
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, લાખોની સંખ્યામાં દેશના વેપારીઓને ત્યાં રેડ પડી રહી છે, વેપારીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે.એક રીતે આ ટેક્સ ટેરરિઝ્મ દેશમાં ફેલાયેલુ છે, જેની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. વેપારીઓને પણ ડરાવવામાં આવી રહ્યા છે જેથી દેશ આગળ નથી આવી રહ્યો.
કેજરીવાલે સરકારને સંબોધિત કરતા કહ્યુ કે, ''દેશમાં એવું વાતવારણ ના બનાવો કે તમામ વેપારીઓ અને ઉદ્યોગપતિ ચોર છે અને તમામ ડરીને રહેવા લાગે. પરંતુ સિસ્ટમને ઠીક કરવી પડશે. અમારો સાથ આપો અમે છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશું.''
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, કેટલાક વેપારીઓ હજુ ભ્રમની સ્થિતિમાં છે, તેઓ કહે છે કે મોદીજીએ અમારી રોટી છીનવી, અમારો ધંધો બંધ કરાવ્યો, રોજગાર લઇ લીધી પરંતુ વોટ તો તેમણે જ કરીશું. જ્યારે તેમણે વેપારીઓને પૂછ્યુ કે, કેમ તેમણે વોટ આપવા જોઇએ તો તેઓ બોલ્યા રાષ્ટ્રવાદ માટે. જેના માટે કેજરીવાલે કહ્યુ કે, વેપારીઓ અને અન્ય વોટર ભ્રમથી બહાર આવે.
કેજરીવાલે કહ્યુ કે, ''વેપારીઓ હોશિયાર છે તેઓ મોદીજીની માયાજાળમાંથી ઉપર આવી ગયા છે. વેપારીઓ સમજે કે આ કેવો રાષ્ટ્રવાદ છે જ્યાં આંતકવાદી મોદીજીને પીએમ બનાવવા ઇચ્છે છે.ત્યાં સુધી કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પણ મોદીજીને પ્રધાનમંત્રી બનાવવા ઇચ્છે છે.''
દિલ્હીના CMએ આગળ કહ્યુ કે, ''મોદીજી અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત સંબંધો છો. જો આવા સવાલ કરવામાં આવે તો પીએમ એક સીએમ પર હુમલા કરાવે છે.આવા પીએમ કઇ રીતે રાષ્ટ્રવાદી હોઇ શકે.''