દિલ્હીમાં લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી માટે સરળ બની રહેશે નહીં. કેટલીક બાબતોને લઇને ભાજપને ફાયદો તો નુકશાન બંને મળી રહ્યું છે. રાજનીતિક વિશ્લેષકોનું માનીએ તો ભાજપ માટે મુસ્લિમ વોટ ચિંતાનું કારણ બન્યુ છે. એમનું માનવું છે કે મુસ્લિમ જો એક તરફ ગયા તો ભાજપને નુકશાન થઇ શકે છે.
દિલ્હીમાં લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી માટે સરળ બની રહેશે નહીં. કેટલીક બાબતોને લઇને ભાજપને ફાયદો તો નુકશાન બંને મળી રહ્યું છે. રાજનીતિક વિશ્લેષકોનું માનીએ તો ભાજપ માટે મુસ્લિમ વોટ ચિંતાનું કારણ બન્યુ છે. એમનું માનવું છે કે મુસ્લિમ જો એક તરફ ગયા તો ભાજપને નુકશાન થઇ શકે છે. બીજી તરફ કોંગ્રેસના મતની ટકાવારી પણ વધવાનો ક્યાસ લગાવાઇ રહ્યો છે. જોકે આપ પાર્ટીનો દાવો છે કે મુસ્લિમ મત તેમની સાથે છે અને તે સાતે સીટ જીતી રહી છે.
દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1.43 લાખથી વધારે છે. 2011 વસ્તીગણતરી અનુસાર, દિલ્હીમાં મુસ્લિમ વોટ 13 ટકા છે. વિશ્લેષકો અનુસાર જમીની હકીકતમાં તે 17 ટકા છે. મુસ્લિમ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદાન થયું છે. મૌજપુરના બૂથ નંબર 53 પર મોટાભાગે હિન્દુ મતદાર છે. આ બૂથ પર 1044 વોટ હતા, જેમાંથી 7.6 વોટ પડ્યા. એટલે કે 67.62 ટકા વોટ પડ્યા. આ મતદાનને આસપાસના હિન્દુ વિસ્તારોના સારી ટકાવારી ધરાવતા મતદાન કેન્દ્રોમામ માનવામાં આવે છે.
બૂથ 54 પર કુલ 1192 વોટ હતા. તેમાંથી 900 વોટ પડ્યા. એટલે કે કુલ મતદાન 75.5 ટકા રહ્યું. આ બૂથની વાત કરીએ તો તેના મોટાભાગના વોટર મુસ્લિમ હતા. આ માત્ર એક વિસ્તારની સ્થિતિ નથી, સંપૂર્ણ દિલ્હીમાં આ સ્થિતિ માનવામાં આવી રહી છે.
જોકે સંપૂર્ણ ચિત્ર 23 મેના દિવસે જાણી શકાશે. પરંતુ મતદાન ટકાવારી જોતા અનુમાન લગાવાઇ રહ્યું છે કે ભાજપ પોતાના મતદારોને પૂર્ણ રીતે ઘરેથી મતદાન કેન્દ્ર સુધી ખેંચી લાવવામાં સફળ ન રહી.