કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને માટે પોતાનો ચૂંટણી નારો રજૂ કરી દીધો છે. આને કોંગ્રેસે હવે 'અબ ન્યાય હોગા' નામ આપ્યું છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે, કોંગ્રેસનો પ્રચાર અભિયાન 'ન્યાય'નાં ઇર્દ-ગિર્દ રહેશે. તેઓએ કહ્યું કે, આ શબ્દ પણ તમામની સાથે ન્યાયનો વાયદો કરે છે. આ કોંગ્રેસનાં પ્રચાર અભિયાનનું થીમ ગીત જાવેદ અખ્તરે લખ્યું છે કે, વીડિયો નિખિલ અડવાણીએ પ્રસ્તુત કરેલ છે.
તમને જણાવી દઇએ કે ચૂંટણી ગીત પર ચૂંટણી આયોગે આપત્તિ દર્શાવી હતી. ચૂંટણી આયોગની આપત્તિ બાદ કોંગ્રેસે પોતાનાં ચૂંટણી અભિયાન ગીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપત્તિજનક લાઇનો હટાવી દીધી. દિલ્હીમાં ચૂંટણી આયોગની મીડિયા પ્રમાણન અને દેખરેખ સમિતિ (એમસીએમસી)ની ટીમે કોંગ્રેસને લાઇનો હટાવવા માટે કહ્યું હતું.
Cong removes lines in campaign song after ECI's objection
કોંગ્રેસ સૂત્રોનાં અનુસાર, આ ગીત પાર્ટીની 'ન્યાય' યોજનાને દર્શાવવા માટે બનાવેલ છે. ગીતમાં જરૂરી ફેરફાર પણ કરી દેવામાં આવ્યાં છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ પાર્ટી તરફથી પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા આ ગીતમાં મોદી સરકારનાં કાર્યકાળ અને સરકારની નીતિઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી.
ચૂંટણી આયોગે આ ગીતનાં એક અંતરાને ખૂબ જ આપત્તિજનક ગણાવ્યો હતો જેથી બાદમાં તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું. કોંગ્રેસે ચૂંટણી આયોગ દ્વારા દર્શાવવામાં આવેલ આપત્તિ અનુસાર સુધાર કરીને તેને બીજી વાર એમસીએમસીની પાસે મોકલ્યું. ત્યાર બાદ આયોગે આ ચૂંટણી અભિયાન પ્રચાર ગીતને લીલી ઝંડી આપી દીધી છે.