કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટ પર એમ જ નથી ગયા. પરંતુ 'ગાંધી પરિવાર' નો અહીંયાથી ભાવાત્મક સંબંધ રહ્યો છે. રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીથી લઇને દાદી ઇન્દિરા ગાંધી સુધી અહીંયાથી ગાઢ સંબંધ રહ્યો છે. એ કારણથી રાહુલે વાયનાડને પસંદ કર્યું.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુરુવારે કેરળના વાયનાડ લોકસભા સીટથી નામાંકન દાખલ કરવા જઉ રહ્યા છે. રાહુલ વાયનાડ એમ જ નથી ગયા પરંતુ 'ગાંધી પરિવાર'નો અહીંયાથી ભાવનાત્મક સંબંધ રહ્યો છે. રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીથી લઇને દાદી ઇન્દિરા ગાંધી સુધી અહીંયાથી ગાઢ સંબંધ છે. આ કારણે રાહુલે વાયનાડને પસંદ કર્યું. સાથે જ એમની રણનીતિ અહીંયાથી કેરળ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકને સાધવાની પણ છે.
અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ સીટથી પણ રાહુલ ગાંધીએ ચૂંટણી લડવાની જાહેરાત કરીને એ વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. વાયનાડનો દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રૂપથી ખઊબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. અહીંયાથી કોંગ્રેસનો માત્ર રાજકીય સંબંધ નહીં પરંતુ ગાંધી પરિવારની પણ ઘણી યાદો જોડાયેલ છે.
ઉલ્લેખનીય છે કે 1991માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા બાદ એમની અસ્થિઓને કેરળના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કે.કપણાકરનને વાયનાડના પાપનાશિની નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. રાજીવ ગાંધીની અસ્થિઓ વિસર્જિત કરવા માટે પૂ્રવ રક્ષા મંત્રી એકે એન્ટનીની સાથે રાહુલ ગાંધી ખુદ વાયનાડ ગયા હતા. રાહુલે પિતાની અસ્થિઓને લઇને પહેલા થિરુનેલ્લી મંદિરમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તે.કરુણાકરણની સાથે વાયનાડની પાપનાશિની નદીમાં એને વિસર્જિત કર્યા હતા.