વારાણસી લોકસભા સીટથી ચૂંટણી નહીં લડવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું પ્રથમ વાર એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મારી પાર્ટીનાં નેતાઓનું કહેવું એમ છે કે પ્રચાર કરવાનો છે. કેમ કે યૂપીમાં મારી 41 સીટોં છે અને જેમાં મારે સંપૂર્ણ જોર લગાવવાનું છે.
પ્રિયંકા ગાંધીએ વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી નહીં લડવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'મારા માથે સમગ્ર યૂપીમાં પ્રચાર કરવાની જવાબદારી છે. એક નહીં પણ 41 સીટો પર પાર્ટીની જીત માટે જવાબદારી છે. એક સ્થાન પર રહીને આવું સંભવ નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ એવી અટકળો સામે આવી હતી કે પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે.
એટલું જ નહીં ખુદ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ પણ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવા માટે તૈયાર છે. બસ માત્ર પાર્ટીનાં હાંની રાહ જોવાઈ રહી છે. જો કે, પ્રિયંકા ગાંધીનાં ચૂંટણી લડવાની ટિપ્પણી પર ત્યારે જ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું કે જ્યારે કોંગ્રેસે અજય રાયને વારાણસીથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી.
જો કે, ચૂંટણી નહીં લડવાનો નિર્ણય ખુદ પ્રિયંકા ગાંધીએ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી લડવાનો અંતિમ નિર્ણય પ્રિયંકા ગાંધી પર છોડ્યો હતો. પ્રિયંકા ગાંધીએ એક સીટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં બદલે તેઓએ હાથમાં જે જવાબદારી લીધી છે તે તેનાં પર ફોકસ કરી રહ્યાં છે.
પ્રિયંકાને પૂર્વાંચલની જવાબદારીઃ
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ખાસ રીતે પૂર્વી યૂપીમાં કોંગ્રેસનો બેડો પાર કરાવવા માટે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપી છે. પીએમ મોદી અને યોગી આદિત્યનાથનું ગઢ કહેવાતા પૂર્વાંચલની જવાબદારી પ્રિયંકા ગાંધીનાં હાથોમાં છે. પ્રિયંકા જે 41 સીટોંની વાત કરી રહી છે તેમાંથી 26 સીટોં પૂર્વાંચલની છે. પાર્ટીને તેઓની પાસે આશા છે. પાર્ટીની આશાઓ પર ખરા ઉતરવા માટે પ્રિયંકા યૂપીમાં બરાબર પ્રચાર કરી રહેલ છે. તેઓની મહેનત કેટલો રંગ લાવે છે તે તો 23મેંનાં રોજ માલૂમ થશે કે જ્યારે ચૂંટણી પરિણામ આવશે.