ચૂંટણી પરિણામો પહેલા મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકાર પર રાજકીય સંકટમાં મુકાઇ શકે છે. સોમવારે ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખી વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવા કહ્યું છે.
બીજેપીએ તેની સાથે દાવો કર્યો છે કે કમલનાથ સરકાર પાસે બહુમત નથી, અને તે આપમેળે પડી ભાંગશે. મધ્યપ્રદેશમાં વિપક્ષના નેતા અને બીજેપીના પ્રવક્તા ગોપાલ ભાર્ગવે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે, ''એ (કમલનાથ સરકાર) આપમેળે પડી ભાંગશે, હું હોર્સ ટ્રેડિંગમાં વિશ્વાસ નથી રાખતો, પણ મને લાગે છે કે સમય આવી ચૂક્યો છે કે આ લોકોએ જલ્દી જવું પડશે''.
ભાર્ગવ મુજબ, '' અમે વિધાનસભાના સત્ર બોલાવવા માટે રાજ્યપાલને એક પત્ર મોકલી રહ્યા છીએ, કેમકે અહીં ઘણા મુદ્દા છે.'' ભાર્ગવે કહ્યું, આ મુદ્દો એટલા માટે નથી ઉઠાવી શકાયો કેમકે આખી પાર્ટી ચૂંટણીમાં વ્યસ્ત હતી. પરંતુ હવે અમે રાજ્ય સરકારની કાર્યપ્રણાલી પર પૂર્ણ ધ્યાન આપીશું અને સાચા મુદ્દા ઉઠાવીશું.
બીજેપી નેતા હિતેશ બાજપાઇ એ કહ્યું કે, આ એક રાતમાં લેવાયેલો નિર્ણય નથી. પરંતુ આ લોકોની ઇચ્છા છે. કેમકે વર્ષ 2018થી રાજ્ય સરકારના બન્યા બાદ તે ઠીકથી કામ નથી કરી રહી.