ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીને માટે પોતાનાં સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવા અને મહિલા સશક્તિકરણ પર ખાસ જોર દેશે. ખેડૂતોનાં કલ્યાણનાં સંદર્ભમાં બીજેપીને લોકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સૂચનો પ્રાપ્ત થયાં છે જેમાં ખેડૂતોને માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાનું પણ સૂચન શામેલ છે.
ભાજપ લોકસભા ચૂંટણીને માટે પોતાનાં સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવા અને મહિલા સશક્તિકરણ પર ખાસ જોર દેશે. ખેડૂતોનાં કલ્યાણનાં સંદર્ભમાં બીજેપીએ લોકો દ્વારા મોટી સંખ્યામાં સૂચન પ્રાપ્ત થયાં છે કે જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાની સૂચના પણ શામેલ છે. તમને જણાવી દઇએ કે બીજેપીનું સંકલ્પ પત્ર આજોરોજ રજૂ કરવામાં આવશે તે નક્કી છે.
પાર્ટી આની સાથે છેલ્લાં પાંચ વર્ષોનાં કાર્યોની પ્રગતિ રિપોર્ટ પણ રજૂ કરી શકે છે. એક ખાનગી ન્યૂઝ ચેનલનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, આમાં ખેડૂતો પર જોર રહેશે. રાષ્ટ્રીય સુરક્ષાનાં વિષયની પ્રમુખતાથી ઉલ્લેખ હશે અને જોર આપવામાં આવશે કે રાષ્ટ્રીય સુરક્ષાનાં વિષય પર દેશ કોઇ પણ રીતે નરમાશ નહીં રાખે.
સંકલ્પ પત્રમાં ખેડૂત અને નવજવાનોનાં હિતો સાથે જોડાયેલ વિષયનો ઉલ્લેખ થશે. રોજગાર અને સ્વરોજગારનાં વ્યાપક તકનો નમૂનો પણ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પોતાનાં ઘોષણાપત્રમાં ગરીબોને આર્થિક મદદ પ્રદાન કરવા સંબંધી ન્યાય યોજનાનાં વાયદાને ધ્યાને રાખતા બીજેપી પોતાનાં સંકલ્પ પત્રને વધારે ધારદાર અને લોભામણું બનાવીને રજૂ કરવા ઇચ્છે છે. આમાં સામાન્ય વર્ગનાં ગરીબોને 10 ટકા આરક્ષણ આપવાની પહેલ પર વિસ્તારથી ચર્ચા થઇ શકે છે.
ખેડૂતોને માટે માસિક પેન્શનઃ
સૂત્રોએ જણાવ્યું કે સંકલ્પ પત્રમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાને વ્યાપક બનાવવાનાં સંબંધમાં વિસ્તારથી ચર્ચા થઇ શકે છે. કિસાન કલ્યાણનાં સંબંધમાં બીજેપીનાં લોકો દ્વારા ખૂબ મોટાં પ્રમાણમાં સલાહ સૂચનો પ્રાપ્ત થયાં. જેમાં ખેડૂતોને માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ પ્રમુખ છે. પાર્ટીએ ખેડૂતો માટે કૃષક ભવિષ્ય નિધિ યોજનાની સૂચના પણ પ્રાપ્ત થઇ છે.
સૂત્રો અનુસાર બીજેપી પોતાનાં સંકલ્પ પત્રમાં યુવા અને મહિલા સશક્તિકરણ પર ખાસ ધ્યાન દેશે. પાર્ટીનાં લોકો સાથે આ સંબંધમાં વધારે સૂચનો પણ પ્રાપ્ત થયાં છે કે જેમાં મંત્રીપરિષદમાં મહિલાઓને માટે ઓછામાં ઓછાં 15 ટકા આરક્ષણ, સંવૈધાનિક અધિકારોની સુરક્ષા સંબંધી આયોગોમાં મહિલાઓને માટે 33 ટકા આરક્ષણ આપવાની સૂચના પણ શામેલ છે. મહિલા વેપારીઓને કર રિયાયત અને શહીદ જવાનોની વિધવાઓને સરકારી નોકરી આપવાની સૂચના પણ પ્રાપ્ત થઇ છે.
યુવાઓને માટે રોજગારનાં અવસર વધારવા અને સ્વરોજગારને મોટા વ્યવસાયે પ્રોત્સાહન આપવાને લઇને પણ વિસ્તારથી ચર્ચા કરી શકાય છે. ત્રિપલ તલાક, રામ મંદિર અને એક દેશ એક ચૂંટણી જેવાં વિષયો પર પણ લોકોનાં મોટી સંખ્યામાં સલાહ સૂચનો આવ્યાં છે.