ભારતીય જનતા પાર્ટીએ 6 ઉમેદવારોની 16મી યાદી જાહેર કરી દીધી છે. બીજેપાીએ મુંબઇ નોર્થ ઇસ્ટથી ભાજપનાં વર્તમાન સાંસદ કિરીટ સોમૈયાની ટિકિટ કાપી છે. બીજેપીએ કિરીટ સોમૈયાની જગ્યાએ મનોજ કોટકને ટિકિટ આપી છે. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ કિરીટનાં નામનો વિરોધ કર્યો હતો.
બીજી બાજુ રાયબરેલીથી બીજેપીએ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ દિનેશ પ્રતાપસિંહને ઉમેદવાર બનાવેલ છે. ત્યારે બીજેપીએ મૈનપુરી સીટ પર સમાજવાદી પાર્ટીનાં દિગ્ગજ મુલાયમ સિંહ યાદવ વિરૂદ્ધ પ્રેમ સિંહ શાક્યને ઉતારેલ છે અને તેઓનાં પુત્ર તથા ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની વિરૂદ્ધ આઝમગઢ સીટ પર ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ 'નિરહુઆ'ને ટિકિટ આપી છે.
BJP releases 16th list of 6 candidates in Maharashtra and Uttar Pradesh for #LokSabhaElections2019 . Manoj Kotak to contest from Mumbai North East (where Kirit Somaiya is the sitting MP), Dinesh Lal Yadav 'Nirhua' to contest from Azamgarh (UP) against SP's Akhilesh Yadav. pic.twitter.com/uQvwJpGRSl
આ પહેલાં બીજેપીએ પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની પણ ટિકિટ કાપી હતી. અડવાણીની જગ્યાએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, ત્યારે મુરલી મનોહર જોશીની કાનપુર સીટથી સત્યદેવ પચૌરીને ટિકિટ આપવામાં આવેલ છે. સત્યદેવ પચૌરી ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. તેઓ કાનપુરનાં ગોવિંદ નગર નિર્વાચન ક્ષેત્રથી ઉત્તર પ્રદેશ વિધાનસભાનાં સભ્ય પણ છે.