લોકસભાની ચૂંટણીને લઇને આજરોજ કોંગ્રેસ દ્વારા ઘોષણાપત્રની જાહેરાત કરી છે. જેને લઇને ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું ઓયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ વતી દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ખતરનાક વાયદાઓ કર્યા છે.
દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઇને આજરોજ કોંગ્રેસ દ્વારા ઘોષણાપત્રની જાહેરાત કરી છે. જેને લઇને ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું ઓયોજન કરવામાં આવ્યું હતું.
#Congress ના ચૂંટણી ઢંઢેરા પર @arunjaitley નું નિવેદન, કોંગ્રેસના વાયદાઓ દેશની એકતા માટે ખતરારૂપ, કોંગ્રેસના વાયદાઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી, કોંગ્રેસનું નેતૃત્વ જેહાદી અને માઓવાદીઓના શરણે, શું દેશદ્રોહ કોંગ્રેસ માટે ગુનો નથી?: જેટલી pic.twitter.com/99NkuFlhFy
આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ વતી દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ખતરનાક વાયદાઓ કર્યા છે. કોંગ્રેસના ઘોષણાપત્રનો એજન્ડો દેશને તોડવાનો છે. દેશદ્રોહના કાયદાને હટાવવાની વાત કરનાર કોંગ્રેસ એકપણ મતનું હકદાર નથી.
#WATCH Union Finance Minister & BJP leader Arun Jaitley on Congress manifesto: Some of the ideas are positively dangerous, they are an agenda for the balkanisation of India. pic.twitter.com/XPp8LDXM4c
જન અવાજ નામથી ચૂંટણી ઢંઢેરો કરાયો જાહેર
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારનાં આજનાં રોજ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીની ચૂંટણી મેનિફેસ્ટોમાં ખેડૂત, ગરીબ, બેરોજગાર અને યુવાઓને લઇને અનેક વાયદાઓ કર્યા છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'જન અવાજ'નાં નામથી કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે અને આમાં કરવામાં આવેલ વાયદાઓ વિશે વિસ્તારથી જાણકારી પણ આપી.
Union Finance Minister & BJP leader Arun Jaitley on Congress manifesto: Even though there was a drafting committee, but it appears that some of the important points have been drafted by the Congress President's friends in 'Tukde Tukde gang' when it deals with Jammu & Kashmir pic.twitter.com/2rE39uBOaC
મેનિફેસ્ટોનાં કવર પેજ પર લખ્યું છે કે, "અમે નિભાવીશું." રાહુલે ચૂંટણી ઢંઢેરો રજૂ કરતા પી ચિદમ્બરમ, એકે એંટની અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો. આ દરમ્યાન મનમોહન સિંહે કહ્યું કે, દેશનાં દરેક ખૂણાનાં વિકાસને માટે પાર્ટીએ અનેક લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે.
124-A હટાવવાની કરાઇ છે વાત
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં 124-A હટાવવાની અને આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર એક્ટની સમીક્ષાની વાત કરી હતી. જેને લઇને નાણામંત્રી અરૂણ જેટલીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.