લોકસભા ચૂંટણીનું મતગણતરી શરૂ થઇ ગઇ છે અને ભાજપે જશ્નની તૈયારી પણ પૂરી કરી દીધી છે.
દિલ્હીમાં ભાજપ ઑફિસના કાર્યકર્તાઓ અને નેતાઓ જીતની તૈયારી કરવા લાગ્યા છે. અહીંયા પૂજા-અર્ચના પણ શરૂ થઇ ગઇ છે. કહેવાઇ રહ્યુ છે કે, જો પરિણામ ભાજપના પક્ષમાં આવે તો સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ ઑફિસ આવશે. આ સિવાય ભાજપ ઑફિસમાં 20-22 હજાર કાર્યકર્તાઓની પહોંચવાની આશા છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને જીત પછી ભાજપ ઑફિસ પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યુ કે, ''
20-22 હજારથી વધારે કાર્યકર્તાઓ આજે ભાજપ ઑફિસ પહોંચશે. સાંજે જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવશે.''
જશ્નની તૈયારી શરૂ, બનાવવામાં આવ્યા લાડુઓ:
એક્ઝિટ પૉલથી ઉત્સાહિત ભાજપ કાર્યકર્તાઓએ પરિણામ પહેલા કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કામરૂપ સુધી જશ્નની તૈયારી કરી રાખી છે. મોડી રાતથી લાડુઓ બનાવવી તૈયારી ચાલુ છે. ગુજરાતનું નવસારી હોય કે પછી બિહારનું ગયા, યૂપીમાં મિર્ઝાપુર હોય કે રાજસ્થાનનું ભરતપુર કાર્યકર્તાઓને ઉત્સાહ ઘણો છે. દિલ્હીમાં ખાસ કરીને કાજૂ-પિસ્તાની મિઠાઇ બનાવવામાં આવી છે.
ભાજપના દિગ્ગજોની કિસ્મતનો નિર્ણય આજે:
વારણસીમાં પીએમ મોદી પોતે છે તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટથી લડી રહ્યા છે. આ સિવાય ભાજપના મંત્રીઓના નસીબનો નિર્ણય બસ થોડા જ કલાકોમાં આવી જશે. લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ, પટના સાહિબથી રવિશંકર પ્રસાદ, અમેઠીથી સ્મૃતિ ઇરાની, સુલ્તાનપુરથી મેનકા ગાંધી અને પૂર્વી ચંપારણથી રાધામોહન સિંહ છે.