પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા સીટો પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે. સૌથી ચૌંકાવનારી બાબત છે કે હરિયાણા, ગુજરાત, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં એનડીએ લગભગ ક્લીન સ્વીપની હાલતમાં પહોંચી ગઇ છે.
ઉત્તરપ્રદેશ અને બિહારમાં મહાગઠબંધન પૂર્ણ રીતે બીજેપી આગળ ફેલ પૂરવાર થયું છે. જે રીતે બીજેપી આગળ ચાલી રહી છે. સપા અને બસપા માટે બહુ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. જો કોંગ્રેસની વાત કરીએ તો સવાલ એ ઉભો થાય છે કે એ કયા કારણો છે જેને કારણે કોંગ્રેસને સત્તાવિરોધી લહેર હોવા છતા જીત ન મળી.
રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસ પૂર્ણ રીતે ફેલ
ઓપરેશન બાલાકોટ બાદ બીજેપી રાષ્ટ્રવાદની લહેર પર સવાર થઇ. જ્યારે કોંગ્રેસ તેના પર પુરાવા માંગતી રહી. મોદીએ આ ચૂંટણીમાં સેના અને બીજેપીની છબીને એક કરી નાંખી અને ઓપરેશન બાલાકોટ બાદ બીજેપીનો વિરોધ મતલબ સેનાનો વિરોધ બન્યો અને રાહુલ ગાંધી આ ધારણાને તોડી ન શક્યા.
રાફેલ મુ્દ્દો પણ ફેલ
ગત 2 વર્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં પીએમ મોદી પર સીધો ગોટાળાનો આરોપ લગાવ્યો અને મંચ પરથી તેમને 'ચોકીદાર ચોર છે' ના નારા લગાવ્યા. પરંતુ પીએમ મોદી એ આ આરોપનો મુકાબલો આક્રમક રીતે કર્યો અને ચોકીદાર ચોર છે ના જવાબમાં 'મેં ભી ચોકીદાર' નારા લગાવ્યો. અહીં એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સીધો કૌભાંડનો આરોપ જનતાને પસંદ ન આવ્યો.
'કૌભાંડ મુક્ત ' સરકાર
વડાપ્રધાન મોદીના 5 વર્ષના કાર્યકાળમાં કોઇપણ મંત્રી પર એકપણ કૌભાંડ પર ડાઘ લાગવા નથી દીધો. રાફેલ મુદ્દે પણ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી. તેની અસર પણ વોટરો પર નિશ્ચિતપણે પડી હશે.
મોંઘવારી મુદ્દો નહીં
આ લોકસભા ચૂંટણીમાં ખાસ બાબત એ રહી કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવા છતા જરૂરી વસ્તુઓની કિંમતમાં વધારો નથી થયો.
કોંગ્રેસ ન કરી શકી ગઠબંધન
યૂપીએને મજબૂત કરવાની કવાયદમાં કોંગ્રેસ પૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઇ છે. કેરળ અને તમિલનાડુમાં કોંગ્રેસને ગઠબંધનનો ફાયદો ન મળ્યો. પરંતુ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ કોઇ ગઠબંધન કરી શકી નહીં. જોકે કોંગ્રેસને ગઠબંધનનો ફાયદો મળતો કે નહીં એ એક સલાલ બની રહે છે.
કોંગ્રેસનું ઘોષણા પત્ર
ઓપરેશન બાલાકોટ બાદ જ્યાં દેશ રાષ્ટ્રવાદની લહેરમાં સવાર હતું ત્યારે કોંગ્રેસના ઘોષણાપત્રમાં જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલા અનુચ્છેદ 370માં છેડછાડ નહીં અને સેનાને મળેલા આફાસ્પાને હટાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને નરેન્દ્ર મોદીએ મુદ્દો બનાવ્યો.