ઉત્તરપ્રદેશના રણમાં માયાવતી અખિલેશના સપના પર મોદીએ રીતસરનું બુલડોઝર ફેરવી દીધું છે. ઉત્તરપ્રદેશનો ગઢ પોતાનો હોવાનો દાવો કરતાં માયાવતી અખિલેશને ધોળેદિવસે ગઢ ખોવાનો વારો આવ્યો છે. મોદીની જવલંત જીતે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીનુ વજૂદ રીતસરનું ખતમ થવાના આરે આવી ગયું છે.
કહેવાય છે કે જો યુપીનો જંગ તમે જીતી જાવ તો તમારી સરકાર રચાય અને આ વખતે યુપીમાં મોદી માટે કપરા ચઢાણ હતાં અને રાજકીય પંડિતો પણ કહેતાં હતાં કે આ વખતે મોદીને યુપીમાં માત મળશે. માયાવતી અખિલેશના મહાગઠબંધન સામે પણ મોદી લહેર ભારે પડી છે. વર્ષોથી ઝઘડતાં માયા-મુલાયમ મોદીને પછાડવા એક થયા. સમયે તેને સાથ નથી આપ્યો.
જોકે, એગ્ઝિટપોલમાં દાવા કરવામાં આવ્યા હતાં કે ઉત્તરપ્રદેશમાં એનડીએએ 50 આસપાસ બેઠક મળશે. અને લગભગ આ જ દિશામાં એનડીએ સફળ પણ રહ્યું છે. ઉત્તરપ્રદેશના મહાસંગ્રામમાં પણ મોદીવેવે બુઆ બબુઆના સૂપડાં સાફ કરી નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં 80 લોકસભા સીટ છે. 2014માં એનડીએએ 73 જીતી હતી. સપાને 5 અને કોંગ્રેસને 2 સીટ મળી હતી..પરંતુ કહેવામાં આવતું હતું કે 2019ના જંગમાં ગણિત જુદું હતું. માયાવતી અખિલેશને લીધે મોદીને સેન્ટરમાં આવવું મુશ્કેલ બનશે તેવું રાજકીય પંડિતો માનતા હતાં. .પરંતુ થયું તેનાથી ઉલટું. મોદીનો અન્ડર કરંટ બુઆ-બબુઆ બેયને એવા તો આંચકા આપી દીધાં કે હવે તેમાંથી બેઠા થવું બેયને અઘરું પડે તેમ છે.
આમ, ઉત્તરપ્રદેશના મહાભારતમાં સપા, બસપા અને આરએલડી ગઠબંધન પર નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી આજે પણ ભારે પડી શકે તેમ છે. તે સ્વીકારવું જ પડશે.