લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આજે જાહેર જઇ રહ્યું છે. એટલે કે મતગણતરી શરૂ છે. ત્યારે આ મતગણતરીમાં દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે. જેમાં લોકસભાની કુલ 542 સીટોમાંથી 4:30 વાગ્યા સુધીની જો વાત કરીએ તો NDAને 342 સીટો, UPAને 95 સીટો અને અન્યને 105 સીટો મળી છે. ત્યારે તેને લઇને હાલમાં સમગ્ર દેશમાં બીજેપી નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય તમામ ચાહકવર્ગ પૂરા જોશથી ભાજપની જીતનો જશ્ન મનાવી રહેલ છે. જો કે બીજી બાજુ દેશનાં 3 રાજ્યો એવાં છે જ્યાં મોદી લહેર નથી ચાલી.
2014ની ચૂંટણીનાં તર્જ પર નરેન્દ્ર મોદીની સુનામીની લહેર પર સવાર થઇને 2019નું મહાસંગ્રામ પણ ભાજપે પોતાનાં નામે કરી લીધું છે. અત્યાર સુધીનાં રૂઝાન દર્શાવી રહ્યાં છે કે ભાજપ પોતાનાં સહયોગીઓની સાથે 340થી પણ વધારે સીટો હાંસલ કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ મોદીજીની સુનામીની વચ્ચે કેટલાંક રાજ્ય એવાં પણ રહ્યાં છે કે જ્યાં તેઓનો જાદુ ચાલી ના શક્યો. આ ત્રણ રાજ્યો દક્ષિણ ભારતથી છે.
આંધ્રપ્રદેશઃ
આ પ્રદેશમાં ભાજપ અને મોદીની અસર કામ નહીં આવે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ ભાજપ અને મોદી વિરૂદ્ધ જબરદસ્ત અભિયાન છેડ્યું હતું. જો કે, નાયડુને ખુદને જ આનો ફાયદો નથી થયો અને બાજી જગમોહન રેડ્ડી બાજી મારી લીધી છે. તેઓએ લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટો તો જીતી છે, વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમત હાંસલ કરી લીધેલ છે. નાયડુ દિલ્હીમાં ભાગદોડ કરતા રહ્યાં અને તેની ખુરશી જતી રહી.
તમિલનાડુઃ
આ રાજ્યમાં પણ મોદીનો જાદુ ના ચાલી શક્યો. ભાજપે અહીં અન્નાદ્રમુકની સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય સાબિત ના થઇ શક્યો. વિપક્ષી દ્રમુકે કોંગ્રેસની સાથે મળીને ભાજપ-અન્નાદ્રમુકને ધૂળ ચટાવી દીધી. ભાજપને આ કરારનો કોઇ જ ફાયદો ના દેખાયો. મહત્વનાં સમય પર રાહુલ ગાંધીનો નિર્ણય કોંગ્રેસ માટે સાચો સાબિત થયો. એટલે કે યૂપીએનો ગ્રાફ વધુ નીચે ચાલ્યો ગયો.
કેરલઃ
કેરલમાં ભાજપને કોઇ જ ફાયદો ના થયો. અનુમાન લાગી રહ્યાં હતાં કે આ વખતે મોદી મેજિકને સહારે કેરલમાં ભાજપ મજબૂત મોજુદગી દાખલ કરાવશે. પરંતુ આ માત્ર અનુમાન જ સાબિત થયાં. કેરલમાં ભાજપ અને સંઘની મહેનતનો હાલમાં કોઇ જ પરિણામ નથી નીકળ્યું.