ગુજરાતે છેલ્લી વાર 1984માં એક મુસ્લિમ સાંસદને પસંદ કર્યા હતાં અને તેઓ કોંગ્રેસનાં અહમદ પટેલ હતાં. ત્યાર બાદથી આજ સુધી કેટલીય લોકસભા ચૂંટણીઓ થઇ પરંતુ ગુજરાતથી એક પણ મુસ્લિમ ઉમેદવાર લોકસભા સુધી નથી પહોંચેલ. ગુજરાતની કુલ આબાદીનાં 9.5 ટકા મુસલમાન છે.
અમદાવાદઃ ગુજરાતે છેલ્લી વાર જે મુસ્લિમ સાંસદને લોકસભા મોકલ્યાં હતાં, તેઓ કોંગ્રેસનાં અહમદ પટેલ હતાં. અહમદ પટેલ ઇન્દીરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિની લહેરમાં 1984માં અહીંથી જીત્યાં હતાં. જો કે, 1989ની ચૂંટણીમાં તેઓ ભરૂચ સીટથી બીજેપીનાં ચંદુ દેશમુખનાં હાથે હારી ગયાં. ત્યાર બાદથી આજ સુધી અનેક લોકસભા ચૂંટણી થઇ ચૂકેલ છે, પરંતુ ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવાર પસંદ થઇને લોકસભા સુધી નથી પહોંચેલ.
રાજ્યની કુલ આબાદીનાં 9.5 ટકા મુસલમાન છે. વર્ષ 1962માં થયેલ પ્રથમ લોકસભા ચૂંટણીમાં ગુજરાતનાં બનાસકાંઠાથી જોહરા ચાવડા પસંદ કરવામાં આવી, ત્યાર બાદ 1977ની ચૂંટણીમાં બે મુસ્લિમ ઉમેદવાર અહમદ પટેલ (ભરૂચ) અને અહસાન જાફરી (અમદાવાદ) લોકસભા પહોંચ્યાં. 1977ની ચૂંટણીમાં પ્રથમ અને અંતિમ વાર સૌથી વધારે મુસ્લિમ સાંસદ (2) લોકસભા પહોંચ્યાં.
બીજેપીએ ક્યારેક મુસ્લિમ ઉમેદવાર નથી ઉતાર્યોઃ
2014ની ચૂંટણી સુધીનો ઇતિહાસ જોઇએ તો રાષ્ટ્રીય પાર્ટીઓમાં કોંગ્રેસે ફક્ત 15 મુસ્લિમ કેન્ડિડેટ્સને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતાં. બીજેપીએ તો એક પણ મુસ્લિમ ઉમેદવારને ક્યારેય ટિકિટ નથી આપી. આ વખતે પણ કોંગ્રેસે માત્ર એક મુસ્લિમ કેન્ડિડેટને ભરૂચથી ટિકિટ આપી છે.
ભરૂચ સીટ પર સૌથી વધુ મુસ્લિમઃ
ભરૂચ સીટ પર મુસ્લિમ આબાદી સૌથી અધિક છે. અહીં 15.64 લાખ વોટર્સમાંથી 22 ટકા મુસ્લિમ વોટર્સ છે. જનજાતીય વોટર્સની સંખ્યા 31 ટકા છે. અમદાવાદ (પશ્ચિમ) પર 25 ટકા મુસ્લિમ વોટર્સ છે. ગાંધીનગરમાં સ્થિત જુહાપુરા વિસ્તાર સૌથી વધારે મુસ્લિમ આબાદીવાળો વિસ્તાર છે. જ્યાં મુસ્લિમ આબાદી 4 લાખથી પણ વધારે છે. આ વખતે ગાંધીનગરથી બીજેપી અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે.
કોંગ્રેસમાંથી માત્ર અહમદ પટેલ જ ત્રણ વાર પસંદ થયાં:
કોંગ્રેસે 1962થી ઉતાર્યા તો 8 મુસ્લિમ ઉમેદવાર છે, પરંતુ આમાંથી માત્ર અહમદ પટેલ જ 1977, 1982 અને 1984માં જીતવામાં સફળ રહ્યાં. સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝની કિરણ દેસાઇએ કહ્યું કે, 'ગુજરાતમાં મુસ્લિમ સામાજીક જ નહીં પરંતુ રાજનૈતિક રીતે પણ પછાત છે. 2002નાં તોફાન બાદ આ સ્થિતિ વધારે ગંભીર થઇ છે.' કોંગ્રેસે 1989 બાદથી માત્ર સાત મુસ્લિમ ઉમેદવારોને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી છે.
ગુજરાત બીજેપીનાં પ્રવક્તા ભરત પાંડ્યાએ કહ્યું કે, 'અમારી પાર્ટી જીતવાની ક્ષમતા પર ધ્યાન આપે છે, આ સિવાય સ્થાનીય સ્તર પર ઉમેદવારની પક્કડ જેવાં ધોરણોને આધાર પર ટિકિટ આપવામાં આવે છે.' કોંગ્રેસનાં મનીષ દોશીએ કહ્યું કે, 'ગુજરાત વિધાનસભામાં અમારાં 3 મુસ્લિમ ધારાસભ્ય છે, અમે પહેલાં પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપેલ છે પરંતુ તેમાંથી કોઇ પણ જીતી ના શક્યું.'