પૂર્વાંચલની રાજનીતિનું કેન્દ્ર કહેવાતું વારાણસી લોકસભા ક્ષેત્રની રાજનીતિ ખૂબ જ રસપ્રદ છે. એક સમયે કોંગ્રેસની અસરવાળી આ પ્રમુખ સીટોંમાંની એક વારાણસી લોકસભા પર વીતેલાં 10 વર્ષથી સતત ભાજપનો કબ્જો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં ઉમેદવારી નોંધાવતા પહેલાં આજે એક ભવ્ય રોડ શો સાથે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું કે જેમાં લાખો જનમેદની ઉમટી અને સીએમ યોગી આદિત્યનાથ સિવાય ભાજપનાં દિગ્ગજ નેતાઓ શામેલ થયાં.
વારાણસી: ઉત્તરપ્રદેશની હાઈ પ્રોફાઈલ સીટ પર આખરે હવે સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળો ખતમ થઇ ગઇ છે. કોંગ્રેસે અહીંથી ફરી વાર અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે 2014માં પણ મોદી વિરૂદ્ધ કોંગ્રેસ દ્વારા આ સીટ પરથી અજય રાય લડી ચૂક્યાં હતાં અને તેઓ ત્રીજા નંબર પર રહ્યાં હતાં.
મુસ્લિમોનો સારો એવો પ્રભાવઃ
એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીને તેઓ ટક્કર આપી શકે તેમ છે. ગઇ ચૂંટણીમાં બાહુબલી નેતા મુખ્તાર અંસારીનું અજય રાયને સારું એવું સમર્થન હતું. જો આ વખતે મળશે કે નહીં તે આખરે હવે જોવાનું રહ્યું. કેમ કે મુખ્તારનું વારાણસીની સીટ પર ખાસ કરીને મુસ્લિમો પર સારો એવો પ્રભાવ રહ્યો છે. તમને જણાવી દઇએ કે અજય રાય પહેલાં કોલસલા વિધાનસભાની બેઠક પરથી સતત ત્રણ વાર ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય રહ્યાં હતાં. તેઓ 2009ની લોકસભા ચૂંટણીમાં સપાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યાં હતાં પરંતુ તેઓ હારી ગયા હતાં. બાદમાં 2009માં અપક્ષ ધારાસભ્ય તેઓ રહ્યાં હતાં. પછી અંતે અજય રાયે તમામ પક્ષો સાથે છેડો ફાડી નાખ્યો અને આખરે તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતાં.
વર્ષ 2014નાં આંકડાઓ અનુસાર અજય રાય પર 16 જેટલાં ક્રિમિનલ કેસો દાખલ છે. પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર વારાણસી ઉત્તરપ્રદેશ ખાસ કરીને પૂરા પૂર્વાંચલનું સૌથી વીઆઇપી ક્ષેત્ર માનવામાં આવે છે. વારાણસીને પૂર્વાંચલનું બેસકૈંપ પણ કહેવામાં આવે છે. અહીંથી પૂર્વાંચલની અંદાજે 21 સીટોંનું ગણિત સાધવામાં આવે છે. વારાણસી સીટ પરથી પ્રધાનમંત્રી મોદીની સામે હવે કોંગ્રેસમાંથી અજય રાય અને મહાગઠબંધનમાંથી શાલિની યાદવની એન્ટ્રી થતાં અહીં જીતનાં સમીકરણો પણ જાણે કે બદલાઈ ગયાં હોય તેવું લાગે છે. તો આપણે અહીં જાણીશું કે આખરે હવે આ વારાણસી સીટ પરથી પ્રધાનમંત્રી મોદીને જીતવું સરળ છે કે અઘરું?
વારાણસીમાં અંદાજે 18 લાખ વોટરઃ
વારાણસીમાં હાલમાં અંદાજે 18 લાખ વોટર અને કુલ જનસંખ્યા 34 લાખ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી મોદી સાંસદ છે. પૂર્વાંચલનાં અનેક નેતાઓ હાલમાં કેન્દ્ર સરકારમાં મહત્વનાં હોદ્દાઓ પર છે. આ સીટ પરથી લખનઉના રાજનાથ સિંહ, ગાઝીપુરનાં મનોજ સિન્હા, મીરઝાપુરની અનુપ્રિયા પટેલ અને ચંદૌલીનાં મહેન્દ્રનાથ પાંડે જેવાં નેતાઓ આ સીટ પરથી સાંસદ થઈને દેશમાં સંસદ સુધી પહોંચ્યાં છે. તમને વધુમાં જણાવી દઇએ કે રાજનાથ સિંહ કે જેઓ હાલમાં દેશનાં ગૃહમંત્રી છે તેમજ મનોજ સિન્હા રેલ અને સંચાર રાજ્ય મંત્રી, અનુપ્રિયા પટેલ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અને મહેન્દ્ર નાથ પાંડે પૂર્વમાં માનવ સંસાધન મંત્રી અને હાલમાં યુપી ભાજપનાં અધ્યક્ષ છે.
આ સંજોગોમાં એવુ કહી શકાય છે કે, વારાણસી વર્તમાનમાં સાંસદોની એક આખી ટીમ સાથે કામ કરી રહી છે. યુપીમાં થયેલા મહાગઠબંધન માટે વારાણસીમાંથી જીતવું મુશ્કેલ છે. છેલ્લી બે ચૂંટણીમાં બીજેપીને અહીં ઘણાં સારા મત મેળવીને જીત મળી છે. 2014માં નરેન્દ્ર મોદીને આ સીટ પર 5 લાખ 81 હજાર વોટ મળ્યા હતા. મોદીએ તેમના સ્પર્ધક કેજરીવાલથી ત્રણ લાખ વધુ મત મેળવીને જીત મેળવી હતી. અજય રાય ત્રીજા નંબરે રહ્યા હતા. રાયને અંદાજે 76,000 વોટ મળ્યા હતા.
યૂપીમાં થયેલ મહાગઠબંધનને માટે વારાણસીનો રસ્તો ખૂબ જ કઠિન છે. ગઇ વખતની બે ચૂંટણીમાં ભાજપે અહીં ઘણાં સારા એવાં મતથી વિજય મળતો રહ્યો છે. 2014માં પ્રધાનમંત્રી મોદીને આ સીટ પરથી 5 લાખ 81 હજાર વોટ મળ્યાં હતાં. મોદીએ પોતાની નજીકનાં સ્પર્ધક એવાં કેજરીવાલને અંદાજે પોણા ચાર લાખ વોટોથી હરાવ્યાં હતાં. જ્યારે અહીં અજય રાય ત્રીજા નંબરે રહ્યાં હતાં. અજય રાયને અંદાજે 76,000 જેટલાં વોટ પ્રાપ્ત થયાં હતાં.
સપા-બસપા ગઠબંધન માટે મોટો પડકારઃ
2014ની ચૂંટણીમાં સપા-બસપાને સાથે મળીને પણ આ સીટ પરથી કુલ સવા લાખ વોટ સુધી પણ ન હોતા પહોંચી શક્યાં. એવું કહેવામાં આવે છે કે, મોદીને હરાવવા માટે મુસ્લિમ મતદારો એક જૂથ થઈને કેજરીવાલ તરફી થઈ ગયાં હતાં. જેનાં કારણે કેજરીવાલને રાજકીય ફાયદો પણ થયો હતો. જો કે આ વખતની ચૂંટણીમાં સમીકરણ કંઇક બદલાઈ શકે તેમ છે. મુસ્લિમ મતદારો અજય રાયની વ્યક્તિગત છબી જોઈને લોકો તેમની તરફ પણ જઇ શકે છે. 2009નાં સમીકરણોને ધ્યાનમાં લેતા તો સપા અને બસપાનાં કુલ વોટોની સંખ્યા ભાજપનાં ઉમેદવાર મુરલી મનોહર જોશીને મળેલાં વોટ કરતાં તો વધારે હતી.
બિહારની રાજનૈતિક સત્તાનું કેન્દ્રઃ
વારાણીસીની રાજનૈતિક અસર બિહાર પર પણ પડી શકે છે. બિહારની રાજનીતિને વારાણસીથી પ્રભાવિત કરવામાં આવી રહી છે. વારાણસી હેલ્થનું એક મોટું હબ પણ છે. પૂર્વાંચલની એમ્સ કહેવાતી સર સુંદરલાલ હોસ્પિટલ અહીં હોવાંને કારણ દરરોજનાં હજારો લોકો અહીં સારવાર માટે આવે છે.
ભાજપનો ગઢ એટલે વારાણસીઃ
વારાણસીને ભાજપનો ગઢ પણ કહેવાય છે. આંકડાઓ પર નજર કરીએ તો અહીં 1991 બાદની સાત ચૂંટણીમાં 6માં ભાજપે અહીં જીત હાંસલ કરી છે. 1991માં અહીંથી ભાજપનાં શ્રીશચંદ્ર દીક્ષિત જીત્યા હતાં. બાદમાં શંકર પ્રસાદ જયસ્વાલ ભાજપની ટિકિટ પર ત્રણ વખત ચૂંટણી જીતીને સંસદ સુધી પહોંચ્યાં. માત્ર 2004માં આ સીટ પર કોંગ્રેસનાં રાજેશ મિશ્રાએ જીત હાંસલ કરી હતી. પછી 2009માં ભાજપનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ આ સીટ કોંગ્રેસ પાસેથી છીનવી લીધી અને 2014ની ચૂંટણીમાં મોદીએ રેકોર્ડ મતો સાથે અહીં જીત હાંસલ કરી લીધી.
એક સમયે હતો કોંગ્રેસનો દબદબોઃ
તમને જણાવી દઇએ કે 1952, 1957 અને 1962માં કોંગ્રેસનાં રઘુનાથ સિંહને વારાણસીથી જીત મળી હતી. બાદમાં 1967માં રઘુનાથ સિંહને કોમ્યુનિસ્ટ પાર્ટીનાં સત્ય નારાયણ સિંહની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1971ની ચૂંટણીમાં કોંગ્રેસનાં રાજારામ શાસ્ત્રી અને 1977માં ભારતીય લોકદળ તરફથી બલિયા નિવાસી ચંદ્રશેખર આ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં કે જેઓ અહીં જીત મેળવ્યાં બાદ દેશનાં વડાપ્રધાન પણ બન્યાં હતાં.
જાતીગત સમીકરણ પર ધર્મને નામે રાજકારણઃ
શિવની નગરી કહેવાતી વારાણસીમાં જો રાજકારણની વાત કરીએ તો અહીં જાતિગત પ્રભાવથી ધર્મની ખૂબ અસર જોવાં મળે છે. સંસદીય સીટ પર બંગાળી, મરાઠી અને દલિત વોટર્સની મોટી સંખ્યા જરૂર છે પરંતુ આમનું સમર્થન રાષ્ટ્રીય પાર્ટીઓને જ મળતું દેખાય છે. આ સિવાય અહીં કાયસ્થ, ક્ષત્રિય, બ્રાહ્મણ, મારવાડી, યાદવ અને મુસ્લિમ વોટર્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે.
શહેરી વિકાસ અને ગંગા સફાઈ એ મૂળ મુદ્દા:
વારાણસીમાં મૂળરૂપથી ગંગા સફાઈ, વિજળી-પાણીની સમસ્યા, વણકરોનાં મુદ્દાઓ, રેલ સંપર્ક, હાઈવે અને મુસાફરીનાં સાધનોનો વિકાસ, શૈક્ષેણિક સંસ્થાનોની વ્યવસ્થા જેવાં અનેક મુદ્દાઓ મુખ્ય ધોરણે છે. ઉપરાંત શહેરી વિકાસનાં નામે પૂર્વમાં થયેલાં અનેક સરકારી કામકાજ ચૂંટણી સભાઓમાં સામાન્ય લોકોનાં વિષય ચર્ચાતા રહે છે. આ ચૂંટણીમાં સ્માર્ટ સિટીનાં નામે જમીનોનું અધિગ્રહણ, વિશ્વનાથ કોરિડોરનાં નામ પર મંદિરોને તોડવાની વાત અને ગંગા સફાઈ જેવાં મુદ્દાઓ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.