અજય રાય 2014માં પણ પીએમ મોદી સામે લડ્યાં હતાં અને ત્રીજા સ્થાને રહ્યાં હતાં. જ્યારે અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે રહ્યાં હતાં. જેથી આ વખતે લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે.
વારાણસીઃ લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં તે અંગે આખરે સસ્પેન્સ પર હવે અંત આવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે અહીંયાનાં ઉમેદવાર અજય રાય રહેશે. અજય રાય 2014માં મોદી વિરૂદ્ધ લડ્યાં હતાં અને ત્રીજા સ્થાન પર રહ્યાં હતાં. બીજા સ્થાન પર અરવિંદ કેજરીવાલ રહ્યાં હતાં. આ વખતે મોદી અને અજય રાય વચ્ચે મુકાબલો થશે. ત્યારે કોંગ્રેસે ગોરખપુર સીટથી મધુસૂદન તિવારીને ટિકિટ આપવામાં આવેલ છે.
Congress Central Election Committee announces the next list of candidates for the ensuing elections to the Lok Sabha from Uttar Pradesh. pic.twitter.com/zyol8wPd06
સમાજવાદી પાર્ટીએ અહીંયાં શાલિની યાદવને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસે ગોરખપુર સીટથી મધુસૂદન તિવારીને ટિકિટ આપી છે. ત્યારે એવો પણ સવાલ ઉભો થયેલ છે કે પ્રિયંકા 2019ની ચૂંટણી લડશે કે નહીં. તેને લઇને બે સીટોની અટકળો હતી. પહેલી- વારાણસી અને બીજી ઇલાહાબાદ. કોંગ્રેસે આ બંને સીટોંએથી ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે.
તમને જણાવી દઇએ કે સાતમા ચરણમાં 19મેંનાં રોજ વોટિંગ થવાનું છે. અહીં ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 29 એપ્રિલ છે.