આજે દેશમાં સાત રાજ્ય અને 59 સીટ પર લોકસભાની ચૂંટણી યોજાઈ છે. ત્યારે ગાંધી પરિવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
આજે દેશમાં સાત રાજ્ય અને 59 સીટ પર લોકસભાની ચૂંટણી યોજાઈ છે. ત્યારે ગાંધી પરિવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
સૌથી પહેલા રાહુલ ગાંધીએ નિર્માણ ભવન ખાતે પહોંચીને મતદાન કર્યું. રાહુલ ગાંધી મતદાન માટે પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા ચાલીને મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા. મતદાન કેન્દ્રથી તેમનું નિવાસ સ્થાન માત્ર 500 મીટર જ દૂર હતુ.
Congress President Rahul Gandhi after casting his vote: The election was fought on key issues including demonetization, farmer problems, Gabbar Singh Tax and corruption in #Rafale. Narendra Modi used hatred in the campaign and we used love and I am confident love will win pic.twitter.com/gE1BgvQzPc
ત્યારબાદ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ નિર્માણ ભવન ખાતે પહોંચ્યા હતા. નિર્માણ ભવન ખાતે પહોંચીને સોનિયા ગાંધીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ સમયે દિલ્લીના પૂર્વ સીએમ શીલા દિક્ષિત પણ તેમની સાથે જોવા મળ્યા.
જ્યારે સૌથી છેલ્લે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા મતદાન કેન્દ્રે પહોંચ્યા હતા. લોદી એસ્ટેટ મતદાન કેન્દ્ર ખાતે તેઓ પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું. તો વોટિંગ બાદ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા.
તેમને પ્રહાર કરતા કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. હવે ભાજપના વળતા પાણી થયા છે. જનતા ભાજપથી પરેશાન છે. જનતામાં ભાજપ પ્રત્યે આક્રોશ અને જનતા ભાજપથી પરેશાન છે.. આ લડાઈ દેશને બચાવવાની છે.. આમ કહીને પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા.