ભોપાલ બેઠક પર ચુંટણીની મોસમ બરાબરની જામી છે.ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના સમર્થમાં સાધુઓ મેદાને ઉતર્યા છે..ત્યારે હવે દિગ્વિજયસિંહના સમર્થનમાં 700થી વધારે સાધુઓ યજ્ઞ કરવા બેઠક છે. આ સાધુ સંતો હઠ યોગ કરીને દિગ્વિજયસિંહને વિજય મેળશે તેવો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચન કરતા જોવા મળ્યા હતા.
MP:Computer Baba who was granted status of minister in BJP govt,camps in Bhopal along with thousands of sadhus to undertake Hat Yoga,also campaigns for Congress leader Digvijaya Singh,says,"BJP sarkaar 5 saal mein Ram Mandir bhi nahi bana paayi. Ab Ram Mandir nahi toh Modi nahi" pic.twitter.com/BvvgBU7HxC
— ANI (@ANI) May 7, 2019
ખાસ કરીને આ લડાઈમાં દિગ્વિજયસિંહને મળવા માટે કોમ્યુટર બાબા આવ્યા હતા. આ બાબાને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો ભાજપની સરકારે આપ્યો હતો. પરંતુ તેઓ દિગ્વિજયસિંહિ સમર્થન કરતા લોકોને નવાઈ લાગી છે.
બુધવારે 600થી વધારે સાધુઓ કમ્યુટર બાબાની આગેવાનીમાં ભોપાલની ગલીઓમાં રોડ શો કરવાના છે. 12 મેના રોજ ભોપાલ બેઠક પર મતદાન થવાનું છે. દિગ્વિજયસિંહને સમર્થન કરવા બદલ કમ્યુટર બાબાને સવાલ કરાયો હતો તો તેમણે કહ્યું કે, નર્મદાના સાચા ભક્ત દિગ્વિજયસિંહ છે..અને એટલે જ તેમને સમર્થન આપવામાં આવ્યું છે.
દિગ્વિજયસિંહે કરેલી નર્મદા યાત્રાના કારણે તેમને આ મહત્વ મળી રહ્યું છે. દિગ્વિજયસિંહે થોડા સમય પહેલા 3300 કિમીની નર્મદા યાત્રા કરી હતી. આ યાત્રામાં તેમની પત્ની પણ તેમના સાથે હાજર રહી હતી.આ ઉપંરાત સાધુ સમાજનો આક્ષેપ છે કે, મોદી સરકારે તેમને છેતર્યા છે. રામમંદિરના નામે હવે તેઓ મોદીને સત્તામાંથી દૂર કરવા માટે જ મેદાને આવ્યા હોવાની વાત કરી હતી..