સમગ્ર દેશની જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓના ધબકારા વધી ગયા છે. 543માંથી 542 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતના વલણોમાં ભાજપની આગેવાની વાળી એનડીએને બહુમત મળતું દેખાઇ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પાછળ નજરે પડી રહી છે.
દેશમાં એક વખત ફરી પ્રચંડ મોદી લહેર જોવા મળી રહી છે. સી-વોટરથી મળી રહેલ વલણો અનુસાર, ભાજપના નેતૃત્વવાળી NDAએ 340 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
લોકસભા ચૂંટણી પરિણામ Live Updates:
ડોનાલ્ડ ટ્રમ્પે પાઠવી શુભેચ્છા
ભારતમાં ફરી મોદી સરકાર બનતા ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને શુભેચ્છા પાઠવી છે.
કોઇ પાર્ટી કે નેતા નહીં, જનતાનો વિજયઃ મોદી
પીએમએ કહ્યું કે, હું પહેલા દિવસે કહી રહ્યું હતું કે આ ચૂંટણી કોઇ નેતા, કોઇ પાર્ટી નથી લડી રહી હતી. આ ચૂંટણી જનતા લડી રહી હતી. આજે મારી એ વાતને નજતાએ સૌની સામે લાવી દીધી છે. પીએમએ કહ્યું કે આજે કોઇની જીત થઇ હોય તો લોકતંત્ર વિજયી થયું છે, જનતા વિજયી થઇ છે.
मैं इस लोकतंत्र के उत्सव में लोकतंत्र की खातिर, जिन-जिन लोगों ने बलिदान दिया है, जो घायल हुए हैं, उनके पारिवारजनों के प्रति संवेदना प्रकट करता हूं और लोकतंत्र के इतिहास में लोकतंत्र के लिए मरना, आने वाली पीढ़ियों को प्रेरणा देती रहेगी: पीएम मोदी #VijayiBharat pic.twitter.com/3AQYqUNnFO
— BJP LIVE (@BJPLive) May 23, 2019
40-42 ડિગ્રી તાપમાનમાં પણ થયું સૌથી વધુ મતદાન
પીએમએ કહ્યું કે જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી લઇને અત્યાર સુધી કેટલીક ચૂંટણી થઇ છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થયું, તે પણ 40-42 ડિગ્રી તાપમાનમાં.
आज देश की कोटी-कोटी नागरिकों ने इस फ़कीर की झोली को भर दिया।
— BJP LIVE (@BJPLive) May 23, 2019
मैं भारत के 130 करोड़ नागरिकों का सिर झुका कर नमन करता हूं: पीएम @narendramodi #VijayiBharat pic.twitter.com/cDGaq6EUZZ
સ્ટેજ પર મોદી પહોંચતા જ લાગ્યા મોદી-મોદીના નારા
પીએમ મોદી સ્ટેજ પર કાર્યકર્તાઓને વિજય ભાષણ આપ્યું છે. આ દરમિયાન ઉત્સાહિત કાર્યકર્તાઓને મોદી-મોદીના નારા લાગ્યા. પીએમએ કહ્યું- હું ભારતના 130 કરોડ નાગરિકોનું નતમસ્તક સ્વાગત કરૂ છું. તેમણે કહ્યું કે આજે મેઘરાજા પણ અમારી સાથે વિજય ઉત્સવમાં હાજર રહ્યા છે.
આવનાર સમયમાં બંગાળમાં ભાજપનું વર્ચસ્વ હશેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે બંગાળમાં અમે 18 બેઠકો જીતી છે અને આવનાર દિવસોમાં પ.બંગાળ પર ભાજપનું વર્ચસ્વ હશે.
મહેનત કરત તો કેટલાક રાજ્યોમાં ખુલી શકત કોંગ્રેસનું ખાતુંઃ શાહ
કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે જો તેઓ મહેનત કરત તો અનેક રાજ્યોમાં તેમના ખાતા ખુલી જાત. આ સિવાય તેમણે આંધ્રપ્રદેશમાં જનગરેડ્ડી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને ધન્યવાદ આપ્યા.
સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર જાતિવાદને લઇને પ્રહાર કર્યા હતા. આ સિવાય તેમણે સપા-બસપા ગઠબંધન છતા યૂપીમાં ભાજપને ભારે બહુમતી મળી છે. અમિત શાહે કહ્યું કે જાતિવાદી પાર્ટીઓનું કોઇ મહત્વ નથી.
50 વર્ષમાં બીજી વખત પૂર્ણ બહુમતી વાળી સરકારઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે દેશમાં 50 વર્ષ બાદ એવું થવા જઇ રહ્યું છે કે કોઇ બીજી વખત પૂર્ણ બહુમતીથી જીતીને પ્રધાનમંત્રી બનાવા જઇ રહ્યું છે. શાહે કહ્યું કે અરૂણાચલ પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં 50 ટકાથી વધુ મત મળ્યા છે.
ભાજપના કાર્યાલય પર અમિત શાહે સંબોધન કર્યું હતું
બીજી વખત કેન્દ્રમાં સરકાર બનવા જઇ રહી છે ત્યારે અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અને પાર્ટીના સિનીયર નેતા મંચ પર હાજર રહ્યા.
રાજનાથ, સુષમા સ્વરાજે કાર્યકર્તાઓને અભિનંદન કર્યા
ભાજપ કાર્યાલયમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, જેપી નડ્ડા, થાવર ચંદ ગહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર છે. તેમણે પણ કાર્યકર્તાઓને અભિનંદન કર્યા.
बंगाल के अंदर... बंगाल के अंदर... See how BJP Karyakartas cheers 'Bharat Mata Ki Jai' #VijayiBharat pic.twitter.com/94QWhOhGkM
— BJP LIVE (@BJPLive) May 23, 2019
પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન
કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી 2019માં થયેલી હાર મામલે માહિતી આપી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે આ પરીણામ અપેક્ષાથી વિરપીત છે. છતા અમે ચિંતન કરીશું અને લોકોની પ્રશ્નોના નિવાણમાં લાગી જઇશું.
જનતાનો આદેશ શિરોમાન્ય, મારા મોદીજીને અભિનંદનઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે તેમની લડાઇ વિચારધારાની છે અને હું નરેન્દ્ર મોદી અને ભાજપને જીતના અભિનંદન આપું છું. રાહુલે કહ્યું કે જે આપણા નેતાઓ ચૂંટણી હાર્યા છે, તેમને ડરવાની જરૂર નથી અને ન તો પોતાનો વિશ્વાસ ગુમાવવાની જરૂર છે. રાહુલે અમેઠીથી સ્મૃતિ ઇરાનીની જીત પણ સ્વિકારી અને તેમને અમેઠીની જનતાનું પ્રેમથી ધ્યાન રાખવાની અપીલ કરી.
અમેઠીમાં રાહુલ ગાંધીની હાર
કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ભાજપના સ્મૃતિ ઇરાનીનો ભવ્ય વિજય થયો છે.
સાધ્વી પ્રજ્ઞાની જીત
ભોપાલ બેઠક પર સાધ્વી પ્રજ્ઞાનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના દિગ્વિજયસિંહ હાર થઇ છે. ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાની જીત થતા ઉજવણી કરવામાં આવી રહી છે.
પરિણામ બાદ પ્રધાનમંત્રી મોદીનું પ્રથમ ટ્વીટ
લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ તરફી વલણ આવી રહ્યાં છે. વલણ પ્રમાણે ફરી એકવાર દેશમાં મોદી સરકાર બનવા જઇ રહી છે. ત્યારે પરિણામ બાદ પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ ટ્વીટ કર્યું છે. ભાજપની જીતને લઇ પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદીએ લખ્યું છે કે ફરી એકવાર ભારતની જીત થઇ છે. સૌનો સાથે, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસથી ભારત વિજયી બન્યું છે.
આ મોદી લહેર નહીં સુનામી છેઃ ફડણવીસ
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્રફડણવીસે ભાજપના ભવ્ય વિજયને લઇ કહ્યું કે, જેમ 2014માં મોદીજીની લહેર હતી તેમ આ વખતે લહેર નહીં પરતું મોદીજીની સુનામી હતી. ભારતની જનતાએ ઐતિહાસિક વિજય અપાવ્યો છે.
અકાળી દળના સમર્થકો દ્વારા કરાઇ ઉજવણી
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે જીતનારા ઉમેદવારના સમર્થકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પંજાબના ભટિંડામાં સુખબીર બાદલ અને હરસિમરત કૌર બાદલની જીતને લઇ અકાળી દળના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી અને ભાંગડા કરવામાં આવ્યા. તો બીજી બાજુ શિમલામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીતની ઉજવણી કરાઇ. ભાજપને મળેલી ઐતિહાસિક જીતને લઇ શિમલામાં સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.
બીજેડી પાર્ટી દ્વારા ઉજવણી
ભુવનેશ્વરમાં બીજેડી પાર્ટી દ્વારા જીતની આશા વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી. બીજેડી પાર્ટીના સમર્થકો સીએમ નવીન પટનાયકના પોસ્ટર સાથે ઉજવણી કરતા જોવા મળ્યા. ભુવનેશ્વરમાં બીજેડી પાર્ટીના સમર્થકો દ્વારા ઢોલ નગારના તાલે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
મોદી શુભેચ્છાઓનો વરસાદ
ભાજપની ભવ્ય વિજયના પગલે PM મોદીને દેશ-વિદેશમાંથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે. ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે.
વારાણસી બેઠક પરથી પીએમ મોદીની જીત
વારાણસીની બેઠક પરથી લડી રહેલા પીએમ મોદીનો ભવ્ય વિજય થયો છે.
લખનઉ બેઠક પર રાજનાથસિંહનો વિજય
ચૂંટણીમાં લખનઉ બેઠક પર ભાજપના રાજનાથ સિંહનો વિજય થયો છે.
ગાંધીનગર બેઠક પર અમિત શાહનો વિજય
ગાંધીનગર બેઠક પર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. જ્યારે રાજકોટ બેઠક પર મોહન કુંડારિયાનો વિજય, જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિજય, બારડોલીમાં ભાજપના નેતા પ્રભુ વસાવાની જીત, ભાવનગર બેઠક પર ભાજપના ભારતીબેન શિયાળની જીત, છોટાઉદેપુર બેઠક પર ગીતા બેન રાઠવાની જીત, નવસારી બેઠક પર સી.આર.પાટીની જીત થઇ છે.
હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુરનું નિવેદન
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ભાજપની ભવ્ય જીતને વધાવતા કહયું કે, સૌથી મોટી જીત ભાજપની સાથે મોદીજીની થવા જઈ રહી છે. જે રીતે એગ્ઝિટ પોલ સામે આવ્યા તે અને હાલ જે આંકડા સામે આવ્યા તેમાં ભાજપ આગળ નીકળી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં પણ ઐતિહાસિક પરિણામ જોવા મળ્યું છે. અમે પહેલાથી જ આશા વ્યક્ત કરી હતી કે ભાજપની સરકાર બનશે.
નાગપુરમાં નીતીન ગડકરીના ઘર બહાર ઉજવણી
નાગપુરમાં નીતિન ગડકરીના ઘર બહાર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરાઇ. ભાજપ સમર્થકોએ ઢોલનગારા વગાડી ખુશી વ્યક્ત કરી.
ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી
દેશમાં ભાજપ તરફી વલણો સામે આવતાની સાથે જ ઠેર ઠેર ભાજપના નેતાઓ અને સમર્થકો દ્વારા ઉજવણી હાથ ધરાઈ. ગાંધીનગર ખાતે પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ તથા સમર્થકો દ્વારા ઢોલ, નગારા અને શરણાઈના તાલે ઉજવણી કરવામાં આવી. અહીં લોકોએ ઝંડા લઈને અને ફૂલહાર વરસાવીને પણ ભારે ઉજવણી કરી.
દિલ્હીમાં ભાજપ કાર્યાલય બહાર ઉજવણીની તૈયારી શરૂ
તો દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે પણ કાર્યકર્તાઓએ ઢોલ વગાડી ઉજવણી કરી. દિલ્હી કાર્યાલય ખાતે ભાજપ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર ભાજપની સરકાર બનતા તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકરનું નિવેદન
કેન્દ્રીય મંત્રી અને પટના સાહિબથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદે ભાજપની જીતની આશા વ્યક્ત કરતા પટના સાહિબના મતદાતાઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, તેઓને એક લાખથી પણ વધુ મતથી લીડ કરી રહ્યા છે. ત્યારે તેઓએ ઔપચારિક પરિણામ આવે તે પહેલા જનતાનો આભાર પણ માન્યો. પટના સાહિબની જે હવા છે તે સમગ્ર દેશમાં છે. ઐતિહાસિક રીતે પીએમ મોદીની આગેવાનીવાળી ભાજપ પાર્ટી જીતી રહી છે.
મુંબઈઃ ભાજપ હેડક્વાટર ખાતે ઉજવણી
મુંબઈમાં પણ ભાજપ હેડક્વાટર ખાતે ઉજવણી કરવામાં આવી. અહીં ઉમટેલા ભાજપના સમર્થકોએ ઢોલ નગારાના તાલે ઉજવણી કરી. પીએમ મોદીના ઉંચા પોસ્ટર સાથે અહીં લોકોએ ભારે ઉજવણી કરી.
ભાજપ નેતા રામ માધવનું નિવેદન
ભાજપ નેતા રામ માધવે ભાજપની જીતને લઇને કહ્યું કે, ભાજપે રાષ્ટ્રહિતના મુદ્દા પર ચૂંટણી લડી હતી. જ્યારે વિપક્ષે પોતાના રાજકીય સ્વાર્થ માટે ચૂંટણી લડી હતી. પહેલા ઇવીએમને દોષ આપ્યો. ત્યારબાદ એગ્ઝિટ પોલને અને હવે એ વાતથી પણ આશ્ચર્ય નહીં થાય કે, વિપક્ષ મતદાતાઓને પણ દોષ આપે.
રાજસ્થાન પણ દેશના રંગમાં રંગાયું: જાવડેકર
દેશમાં ફરી એકવાર મોદી સરકાર બની રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, લોકોએ દેશ માટે મત આપ્યો છે. રાજસ્થાનમાં અમે 25માંથી 25 સીટ જીતી રહ્યા છીએ. લોકોએ ઇમાનદાર અને મજબૂત નેતૃત્વને મત આપ્યા છે. અમિત શાહ અને મોદીની બેમિસાલ રણનીતિના કારણે દરેક બૂથ અને બૂથથી મતદાતા સુધી અમે પહોંચ્યા.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યુ કે, આ કોંગ્રેસની હાર નથી. બેરોજગારી, ખેડૂત અને શિક્ષણની હાર છે. સાથે જ તેમણે લખ્યુ કે, આ હિન્દુસ્તાનની જનતાની હાર છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને તરત જ હટાવી દીધુ છે.
ગુજરાતમાં ફરી મોદી લહેર, જાણો કઈ બેઠક પર કોની જીત કોણ આગળ
ધર્મની જીત થશે અધર્મનો નાશ નિશ્ચિત છેઃ સાધ્વી પ્રજ્ઞા
ભોપાલ સીટના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ટ્રેન્ડમાં આગળ રહેવાને લઇ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નિશ્ચિત રૂપે મારી જીત થશે. ધર્મની જીત થશે અને અધર્મનો નાશ થશે. જનતાએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો એટલે હું આગળ રહી છું.
ગુરદાસપુરથી મારી જીત નક્કી છેઃ સની દેઓલ
ભાજપ ઉમેદવાર સની દેઓલએ જીતની આશાવ્યક્ત કરી. તેઓએ કહ્યું કે, ગુરદાસપુરથી મારી જીત નક્કી છે. ગુરદાસપુરના લોકો મને જરૂર જીતાડશે. અહીંના લોકોનો મને ખુબ પ્રેમ મળ્યો છે.
યૂપીમાં ભાજપ દ્વારા ઉજવણી, જય શ્રીરામના લગાવ્યા નારા
તો યૂપીના લખનઉમાં પણ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટીની જીતને લઈને ઉજવણી કરવામાં આવી. ભાજપના સમર્થકો પાર્ટીની જીતની આશા સાથે રોડ પર ઉતર્યા હતા. કાર્યકર્તાઓએ હાથમાં ઝંડા સાથે પાર્ટીની જીતની પૂર્વ ઉજવણી પણ કરી દીધી. સાથો સાથ અહીં ઉમટેલા ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા પણ લગાવ્યા.
હીરાબાએ ખુશી વ્યક્ત કરી
ફરી એકવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે. ત્યારે તેમના માતા હીરાબાએ આજે ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને બહાર આવ્યા અને મોદી ફરી વાર પ્રધાનમંત્રી બનતા ખુશી વ્યક્ત કરી હતી. મોદીના માતા હીરાબાના મુખ પર ખુશી જોવા મળી રહી છે.
મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહનું નિવેદન
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચોહાણે ચૂંટણી પરિણામ પહેલા ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી. સાથો સાથ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, મધ્યપ્રદેશની જનતા ભાજપ અને કોંગ્રેસના શાસન વચ્ચેના અંતરને સારી રીતે જાણે છે. મને જરાય પણ કહેવામાં સંકોચ નથી કે મધ્યપ્રદેશની જનતાએ સરકાર સરકાર વચ્ચેનો ફરક જોયો છે.
દેશના દિવસમાં દિલમાંઃ રૂપાલા
લોકસભા ચૂંટણી પરિણામ પર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે પરિણામ ભાજપની તરફેણમાં આવશે. તો સાથે જ પુરૂષોત્તમ રૂપાલાએ દેશના મતદારોનો આભાર માન્યો હતો. કહ્યું નરેન્દ્ર મોદી દેશની જનતાના દિલમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.
ભાજપ જીતવા જઇ રહ્યું છે
ભાજપના નેતા સુધાશું ત્રિવેદીએ આશા વ્યક્ત કરી કે ભાજપ જીતવા જઈ રહ્યુ છે. જે વલણો છે તે પરિણામમાં પરિણમશે. તો બંગાળની સ્થિતિ અંગે વાત કરતા કહ્યું કે, બંગાળમાંથી પણ ઝડપથી ટીએમસનીનો સફાયો થશે અને ભાજપની જીત થશે.
જંગી લીડથી ભાવનગર બેઠક જીતીશુંઃ ભારતીબેન
ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે સમગ્ર દેશમાં ભાજપ આગળ છે. ભાવનગર બેઠક પર અમે જંગી લીડથી જીતવાની છીએ. લોકોએ વિકાસની વાત સ્વીકારી છે.
DMKના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી
ડીએમકેને શરૂઆતી ટ્રેન્ડમાં આગળ રહેતા ચેન્નાઇમાં ડીએમકેના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ચેન્નાઇના અરીવલ્યામમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ડીએમકેના કાર્યકર્તાઓ દ્વારા ઢોલનગારાના તાલે પારંપરિક નૃત્ય કરી ઉજવણી કરાઇ.
એલજેપીના ઉમેદવાર ચિરાગ પાસવાનનું નિવેદન
ટ્રેન્ડમાં એનડીએને મળી રહેલી સીટોને લઇ એલજેપીના ઉમેદવાર ચિરાગ પાસવાને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 2014 કરતા પણ મોટી જીત થશે. જે ટ્રેન્ડ છે તે જ પરિણામ હશે.
લોકસભા ચૂંટણીમાં ભાજપનું ઔતિહાસિક પ્રદર્શન
દેશમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે ત્યારે પરિણામોને લઇ ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. આજે સાંજે રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં ઉજવણી થશે. સાંજે 5 વાગ્યે PM મોદી જશે દિલ્હી ભાજપના મુખ્યાલય જશે. દિલ્હી મુખ્ય કાર્યાલય ખાતે જોરશોરથી ઉજવણી થશે.
NCPએ કર્યા ભાજપના વખાણ
એનસીપીના નેતા માજીદ મેમણે જનાદેશને આવકરતા કહ્યું કે, આંકડા બતાવી રહ્યા છે કે ભાજપ આગળ છે. આ વાતનું હું સ્વાગત કરૂ છું અને તેમને અભિનંદન પાઠવું છે કે આટલી મોટી સંખ્યામાં જનાદેશ મળ્યો છે. હું આશા રાખું છુ કે જે ભાજપ સત્તામાં આવે તો વિપક્ષ સાથે મળીને દેશના વિકાસનું કામ કરે.
સાધ્વી પ્રજ્ઞા ટ્રેન્ડમાં આગળ, દિગ્વિજયસિંહ પાછળ
ભોપાલ સીટ પર સાધ્વી પ્રજ્ઞા ટ્રેન્ડમાં આગળ છે. કોંગ્રેસના દિગ્વિજયસિંહ પાછળ છે ત્યારે ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ જીતની ઉજવણી પણ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં મોદી લહેર
ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર લોકોનો પ્રેમ યથાવત નજરે પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019માં પણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત છે. 2014ની જેમ આ વખતે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પાનુ ન ચાલ્યું. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને મહેનત છતા પણ કોંગ્રેસ પાછળ નજરે પડી રહી છે.
કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો ઘસારો
લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમલમ ખાતે ઢોલ-નગારા સાથે કાર્યકર્તાઓ એકઠા થયા છે. ચૂંટણીના પરિણામોને લઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્નાટો વ્યાપ્યો છે. લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ કાર્યાલય સુમસામ બન્યું છે. કોંગ્રેસના તમામ દિગ્ગ્જ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે.
ભાજપના નેતા હર્ષવર્ધનનું નિવેદન
ભાજપના નેતા હર્ષવર્ધને કહ્યું કે, જ્યારે હું મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં પોતે રાયબરેલી અને અમેઠીમાં કેમ્પેઈન કર્યુ હતુ. મેં સ્વર્ગીય ઈન્દિરા ગાંધી અને સ્વર્ગીય સંજય ગાંધીને હારતા જોયા છે. જેથી મને આ મામલે કોઈ આશ્ચર્ય લાગતુ નથી કારણ કે 1977માં મેં તેઓને હારતા જોયા હતા. એવું 2019માં પણ બને તો આશ્ચર્ય નથી.
દેશ ભાજપની સાથે છેઃ કેશવપ્રસાદ મોર્ય
યૂપીના ડે.સીએમ કેશવપ્રસાદ મોર્યએ ટ્રેન્ડને લઇ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ ભાજપની સાથે છે. યુવાઓથી લઇ તમામે ભાજપને આશિર્વાદ આપ્યા છે. ટ્રેન્ડને જોઇ અખિલેશ અને માયાવતીની જોડી આઘાતમાં છે.
કોંગ્રેસના નેતા પ્રિનીત કૌરનું નિવેદન
તો પંજાબમાં કોંગ્રેસના નેતા પ્રિનીત કૌરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ પાર્ટી જીતશે. પાર્ટી જીત્યા બાદ પોતાના વાયદાઓ પણ પૂરા કરશે અન નવયુવાનોને રોજગારીની તકો મળે એવા પ્રયાસો પણ કરવામાં આવશે.
પરિણામ પહેલા કોંગ્રેસની ઉજવણી
ચૂંટણી પરિણામ પહેલા દિલ્હી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે જીતની આશાને લઈને ઉજવણી કરવામાં આવી. અહીં પારંપરિક વેશભૂષા સાથે ઢોલના તાલે કોંગ્રેસના સમર્થકોએ ઉજવણી કરી હતી.
ભાજપ નેતા મીનાક્ષી લેખીનું નિવેદન
ટ્રેન્ડને લઇને ભાજપ નેતા મીનાક્ષી લેખીએ નિવેદન આપતા કહ્યું કે, 5 વર્ષું કામ પરિણામ બધાની સામે છે. દરેક દિશામાં કામ કરવામાં આવ્યું જેનું આ પરિણામ છે. દિલ્હીની સાતેય સીટ ભાજપ જીતશે.
શાહનવાઝ હુસૈનનું નિવેદન
ભાજપના નેતા શાહનવાઝ હુસૈને ચૂંટણી પરિણામ પહેલા કહ્યું કે, ભાજપની જીત થશે. જે રીતે ચૂંટણી દરમિયાન સમગ્ર દેશ મોદી મોદી કરી રહ્યુ હતું. દરેક જગ્યાએ મોદીજી લીડ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ છે તે પરિણામમાં બદલાશે.
વિનોદ ચાવડાનું નિવેદન
કચ્છમાં લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વીટીવી સાથે ખાસ વાતચીતમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતનો દાવો કર્યો છે. તેમને કહ્યું કે જંગી લીડથી મારી જીત થશે.
અમિત શાહે તમામ ઉમેદવારોને આપ્યા નિર્દેશ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે તમામ ઉમેદવારોને દિલ્હી બોલાવ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા તમામ ભાજપના ઉમેદવારોને 25 મે સુધી દિલ્હી આવવા નિર્દેશ અપાયો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
તો આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે, લોકોએ નરેન્દ્રભાઈને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા માટે લોકોએ મતદાન કર્યુ. સાથે જ તેમણે જણાવ્યુ કે, ગુજરાત અને સમગ્ર દેશમાં ભાજપ અને NDAના ઉમેદવારો માટે લોકોએ મતદાન કર્યુ છે. આ ચૂંટણીમાં ભાજપની જીતનો નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપ નેતા ટોમ વડક્કનનું નિવેદન
ભાજપ નેતા ટોમ વડક્કને ટ્રન્ડમાં એનડીએને બહુમત મળવા પર નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, જનતાએ મોદીના સંદેશનો સ્વીકાર કર્યો છે અને એ સંદેશનો જવાબ જનતાએ આજે આપ્યો છે. સ્પષ્ટ છે કે, મોદી જ ભારતના આગામી પીએમ છે.