રાહુલ ગાંધીની નાગરિકતા પર થોડા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પહેલીવાર ખોળામાં લેનાર નર્સે એક નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીની નાગરિકતા પર થોડા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પહેલીવાર ખોળામાં લેનાર નર્સે એક નિવેદન આપ્યું છે. સેવા નિવૃ્ત્ત નર્સે 49 વર્ષ બાદ રાહુલ ગાંધી વિશે કહ્યું કે 'નાગરિકતા પર કોઇ સવાલ ન ઉઠાવવા જોઇએ'.
રાહુલ ગાંધીના જન્મની પ્રત્યક્ષ સાક્ષી રહેલ સેવાનિવૃત નર્સ અને વાયનાડથી મતદાર રાજમ્મા વાવથિલ અવાજ બુલંદ કરીને કહી રહી છે કે કોઇએ પણ કોંગ્રેસ અધ્યક્ષની નાગરિકતા પર સવાલ ન કરવા જોઇએ. કેમકે એમને એ લોકોમાંથી હતા જેમણે દિલ્હીના હોલી ફેમિલી હોસ્પિટલમાં 19 જૂન 1970 ના દિવસે રાહુલના જન્મદિવસે ડ્યૂટી પર હાજર હતી.
72 વર્ષીય રાજમ્મા એ સમયે નર્સ તરીકે પ્રશિક્ષણ લઇ રહ્યા હતા. એમણે કહ્યું કે એ એવા લોકોમાં સામેલ હતા જેમણે નાના રાહુલ ગાંધીને પહેલીવાર પોતાના હાથમાં ઉઠાવ્યા હતા. વાયનાડથી વાવથિલે પીટીઆઇને ફોન પર જણાવ્યું કે, ''હું નસીબદાર હતી કે નવજાત રાહુલ ગાંધીને પોતાના ખોળામાં ઉઠાવનાર લોકોમાં તે પ્રથમ હતી. હું તેમના જન્મની સાક્ષી રહી છું. હું ખુબજ ઉત્સાહિત હતી.''
અમેઠી ઉપરાંત વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે રાહુલ ગાંધી
49 વર્ષ બાદ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. વાવથિલ હવે પોતાને એક 'ગૃહેણી' દર્શાવે છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાથી વધારે કોઇ ખુશી નથી. વાવથિલે કહ્યું કે એમને એ દિવસ સારી રીતે યાદ છે. વાવથિલે એ દિવસને યાદ કરતા જણાવ્યું છે કે જ્યારે સોનિયા ગાંધીને ડિલીવરી માટે લાવવામાં આવ્યા ત્યારે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને કાકા સંજય ગાંધી હોસ્પિટલમાં રાહ જોઇ રહ્યા હતા.
રાહુલ ગાંધીની નાગરિકતાના સવાલો પર થયા દુ:ખી
આ વાત વાવથિલ ઘણીવાર પોતાના પરિવારને સંભળાવે છે. સેવાનિવૃત નર્સે કહ્યું કે એમને રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવનારા ભાજપ નેતા સુબ્રમળ્યમ સ્વામીની ફરિયાદથી દુ:ખ થયું છે. વાવથિલ મુજબ એક ભારતીય નાગરિક તરિકે રાહુલ ગાંધીની ઓળખ પર કોઇ સવાલ ન ઉઠાવવા જોઇએ તથા તેમની નાગરિકતા પર સ્વામીની ફરિયાદ નિરાધાર છે.
એમણે વધુમાં જણાવ્યું કે એ હોસ્પિટલમાં રાહુલ ગાંધીના જન્મ વિશે તમામ રેકોર્ડ સુરક્ષિત છે. વાવથિલે દિલ્હીના હોલી હોસ્પિટલથી નર્સિંગ પાઠ્યક્રમ પૂર્ણ કર્યો હતો અને બાદમાં એમણે ભારતીય સેનામાં નર્સ તરીકે સામેલ થયા હતા. વાવથિલે આશા દર્શાવી છે કે રાહુલ ગાંધી હવે જ્યારે વાયનાડ આવશે ત્યારે એ તેમને મળી શકશે.