સૂત્રો અનુસાર પ્રિયંકા ગાંધી મોદી સામે મુલાકાત કરવા તૈયાર હતાં પરંતુ રાહુલ ગાંધી ન હોતા ઇચ્છતા કે પહેલી જ ચૂંટણીમાં તેઓએ હારનો સામનો કરવો પડે. જો પ્રિયંકા અહીંથી હારી જાત તો તેમનું રાજનૈતિક કેરિયર શરૂ થવાં પહેલાં જ ખતમ થઇ જાત.
ન્યૂ દિલ્હીઃ તમામ અટકળો અને સસ્પેન્સ બાદ આખરે વારાણસીને લઇને કોંગ્રેસની તસ્વીર સ્પષ્ટ થઇ ગઇ છે. અહીંયાથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની લડવાની ચર્ચા હતી, પરંતુ અજય રાયનાં નામની જાહેરાત બાદ નક્કી થઇ ગયું કે પ્રિયંકા ચૂંટણી નહીં લડે. ચર્ચા એવી છે કે તેઓ આવનારા સમયમાં અમેઠીથી પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતરી શકે છે.
પ્રિયંકાએ પોતાની ચૂંટણી લડવાની વાત રાહુલ ગાંધી પર છોડીને આ મામલાની જવાબદારી પોતાનાં ભાઇ અને અધ્યક્ષ રાહુલ ગાંધીનાં માથે નાખી દીધી હતી. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, પ્રિયંકા ગાંધી મોદી સામે મુકાબલો કરવા તૈયાર હતી પરંતુ રાહુલ ગાંધી ન હોતા ઇચ્છતા કે પહેલી જ ચૂંટણીમાં તેઓ હારનો સામનો કરે. પાર્ટીને લાગે છે કે પહેલી જ ચૂંટણીમાં મોદી જેવાં કદાવર નેતાનો સામનો કરવો એ આસાન નથી. આની પાછળ કારણ એ હતું કે મોદી ટીમથી લઇને અનુભવ સુધીનાં દરેક મામલાઓમાં પ્રિયંકા અને કોંગ્રેસથી મજબૂત છે. જો પ્રિયંકા અહીંથી હારી જાત તો તેમનું રાજનૈતિક કેરિયર શરૂ થવાં પહેલાં જ ખતમ થઇ જાત.
બીજી બાજુ પાર્ટીની અંદર એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે પ્રિયંકાનો વારાણસીથી લડવાનો પ્રસ્તાવ હંમેશા પરિવારની વચ્ચે જ રહ્યો. કોઇ પણ સ્તર પર પાર્ટીની વચ્ચે નથી આવ્યો. એક મહત્વનાં સૂત્રની અંદર કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીથી લઇને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સુધી કોઇ પણ સ્તર પર પ્રિયંકાનું નામ સામે નથી આવ્યું. વારાણસીથી અજય રાયનું સિંગલ નામ જ આગળ વધારવામાં આવ્યું. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ યૂપીમાં ગઠબંધનને નુકસાન પહોંચાડવા ન હોત ઇચ્છતી. જેથી તેઓએ પ્રિયંકાને ઉતારવાથી બચવાનો નિર્ણય કર્યો.