પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં લોહરદગામાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, આ લહેર નથી પરંતુ લલકાર છે. હવે તો વિરોધીઓ પણ બોલવા લાગ્યાં છે 'ફિર એક બાર.....!' મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, 300થી વધારે સીટોં પર ચૂંટણી થઇ ચૂકી છે. વિરોધી હવે પોતાની હાર સ્વિકારી લે.
પીએમ મોદીએ કહ્યું કે, જેમ પરીક્ષામાં ફેઇલ થનારાં બાળકો પેન, પેપર, બેંચનું બહાનુ બતાવે છે, એ જ રીતે વિપક્ષ પોતાની હારનો ટોપલો ઇવીએમ પર ઢોળી દે છે. મોદીને ગાળો દેનારા હવે ઇવીએમને ગાળો દઇ રહ્યાં છે. બિચારા મશીનનાં નસીબમાં પણ વિપક્ષની ગાળો છે. મશીનને પણ ગાળો ખાવી પડી રહી છે. પોતાની હારનો ટોપલો ઇવીએમ પર ફોડવાની શરૂઆત તેઓએ પહેલેથી જ શરૂ કરી દીધી છે.
PM Modi in Lohardaga,Jharkhand: They used to abuse Modi but since yesterday they have started to abuse EVMs. It seems they have decided to pin the blame of the loss on EVMs, just like a student whose exam doesn't go well comes home and gives excuses like pen was not good etc. pic.twitter.com/DDy0XmXfUt
પીએમ મોદીએ જણાવ્યું કે, દિલ્હીમાં આપે ખૂબ મજબૂત સરકાર બનાવી, ત્યારે આજે નક્સલવાદ-માઓવાદ પર આપણે આટલો કાબૂ મેળવી શક્યાં છીએ. ભાજપ-એનડીએ સરકારનાં પ્રયાસોનું જ પરિણામ છે કે દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે. ઝારખંડમાં પણ આપ આનો અનુભવ કરી રહ્યાં છો કે પહેલાં જે વિસ્તારમાં દિવસ ઢળ્યાં બાદ લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરતા હતાં, ત્યાં હવે સ્થિતિ તેજીથી બદલાઇ રહી છે.
મંગળવારનાં રોજ રાંચીમાં યોજાયેલ રોડ શોને વિશે તેઓએ કહ્યું કે, કાલે આવું શાનદાર, જાનદાર દ્રશ્ય હતું કે જે જોતા જ બનતું હતું, રાજભવન સુધી એક ઇંચ એવી જગ્યા ન હોતી કે જ્યાં સંપૂર્ણ રાંચી શહેર ઉભું થઇને આશીર્વાદ ના આપતું હોય. એક સરકારને બીજી વાર સરકાર બનાવવા માટે જનતાનો મિજાજ શું હોય છે તે ઝારખંડવાળાઓએ ગઇ કાલે દેખાડી દીધું. તમને ખ્યાલ હશે કે ઝારખંડમાં મતદાનની શરૂઆત ચોથા ચરણથી હશે. 29 એપ્રિલનાં રોજ રાજ્યની ત્રણ સીટોં, ચતરા, લોહારદગા અને પલામુમાં વોટ નાખવામાં આવશે.