લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણનાં મતદાનમાં હવે માત્ર થોડાંક જ દિવસો બચ્યાં છે. રાજનૈતિક દળ સતત ચૂંટણી પ્રચારમાં જોડાયેલ છે. આ વખતે પણ વારાણસીથી ચૂંટણી રણમાં ઉતરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહીનાનાં અંતમાં પોતાની ઉમેદવારી દાખલ કરશે. પ્રધાનમંત્રી 26 એપ્રિલનાં રોજ પોતાની ઉમેદવારી દાખલ કરશે. પીએમ મોદીની આ ઉમેદવારીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશમાં પોતાની રાજકીય તાકાત પણ દેખાડવાની કોશિશ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉમેદવારી સમયે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે સાથે બીજેપી શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી અને તમામ દિગ્ગજ નેતા હાજર રહી શકે છે. આપને જણાવી દઇએ કે વારાણસીમાં અંતિમ ચરણમાં મતદાન થવાનું છે, અહીં 19મેંનાં રોજ મતદાન થવાનું છે.
વારાણસીમાં હજી સુધી નથી કરાયો પ્રચારઃ
પ્રધાનમંત્રી આ દિવસોમાં સતત દેશભરની મુલાકાત કરી રહ્યાં છે અને ચૂંટણીલક્ષી સભાને સંબોધિત કરી રહેલ છે. જો કે, હજી સુધી પીએમ પ્રચાર માટે વારાણસી નથી ગયાં. પ્રધાનમંત્રી અત્યાર સુધી પશ્ચિમી ઉત્તર પ્રદેશનાં મેરઠ, સહારનપુર અને અમરોહામાં રેલીને સંબોધિત કરી ચૂકેલ છે.
કાશી પર છે તમામની નજરઃ
2019માં વારાણસીની લડાઇ ખૂબ જ રસપ્રદ છે, પ્રધાનમંત્રી મોદીની અહીંથી ચૂંટણી લડવી એ તો પહેલેથી જ નક્કી હતું. પરંતુ તેઓની સામે મુકાબલો કરનારાઓની સંખ્યા વધતી જઇ રહી છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખર આઝાદ વારાણસીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલ છે તો ત્યારે તમિલનાડુનાં અનેક ખેડૂત પણ પીએમ મોદીની વિરૂદ્ધ દમ ભરી રહેલ છે.
એવામાં અનેક દિવસોથી એવી અટકળો પણ ચાલી રહી છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વારાણસીથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધી પૂર્વાંચલ માટે કોંગ્રેસ પ્રભારી છે. એવામાં પ્રધાનમંત્રી મોદીને ઘેરવા માટે કોંગ્રેસ આ દાવ પણ ખેલી શકે છે.
ગઇ વખતે પણ દેખાયો હતો દમઃ
આપને જણાવી દઇએ કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વાર વારાણસીથી ચૂંટણી લડી હતી, ત્યારે પણ બીજેપીએ મેગા રોડ શો કરીને અહીં પોતાની તાકાત દેખાડી હતી. જ્યારે ઉમેદવારી પહેલાં વારાણસીમાં મોટો રોડ શો પણ થયો હતો, જેમાં નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહ, લક્ષ્મીકાંત વાજપેયી (તત્કાલીન યૂપી પ્રદેશ અધ્યક્ષ) શામેલ હતાં. ઉમેદવારી દરમ્યાન જ પ્રધાનમંત્રીએ 'મુજે માં ગંગાને બુલાયા હૈ'વાળી ચર્ચિત પંક્તિ કહી હતી.