દેશમાં લોકસભા ચૂંટણીને લઇને રાજનૈતિક દળોનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. સોમવારનાં રોજ મહારાષ્ટ્રનાં ડિંડોરી જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીએ એક જનસભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે, 2014 પહેલાં ભારતમાં અવારનવાર દેશનાં અલગ-અલગ ખૂણામાં બોમ્બ બ્લાસ્ટ થતાં હતાં અને ત્યારે ખુદને ખૂબ અનુભવી બતાવનાર કોંગ્રેસ અને એનસીપીની સરકાર માત્ર શોક સભાઓ જ કરતી હતી અને દુનિયામાં પાકિસ્તાનનાં નામ પર રોતી રહેતી હતી. પરંતુ આજે દરેક આતંકીને ખ્યાલ જ છે કે જો ભારતનાં કોઇ પણ ભાગમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો તો આ તો મોદી છે, તે એમને પાતાળમાંથી પણ શોધીને સજા આપશે અને તેને ખતમ કરી નાખશે.
તેઓએ રાફેલ વિવાદ પર જણાવ્યું કે, કોંગ્રેસ એચએએલને લઇને અફવાઓ ફેલાવી રહી છે જ્યારે કોંગ્રેસે તો એચએએલને ખતમ કરી દીધી હતી. મોદીએ કહ્યું કે, અમે નવા-નવા ડિફેન્સ કોરિડોર બનાવીને તેને તાકાત આપી રહેલ છે અને આપ લખીને રાખજો કે 10 વર્ષમાં આની તાકાત બે ઘણી- ત્રણ ઘણી વધારે થઇ જશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે માત્ર સરકાર જ નહીં, દરેક હિંદુસ્તાની છાતી નીકાળીને ઉભો છે. દુનિયામાં ભારત અને ભારતવાસીઓની આ જય જયકાર આપનાં એક વોટને કારણ થઇ રહેલ છે. આ આપનાં વોટની જ તાકાત છે કે આજે ભારત પોતાની સામે હાજર પડકારોનો બરાબર સામનો કરી રહેલ છે. કોંગ્રેસને ઘેરતા તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસ મધ્યસ્થીઓને ફાયદો પહોંચાડવા માટે પાકોની કિંમત સાથે રમી રહી છે. જેવી મોંઘવારી સહેજ પણ વધે છે કે કોંગ્રેસ પોતાનાં દરબારીઓને મધ્યમ વર્ગનાં ગ્રહણીઓ પાસે મોકલીને ઇન્ટરવ્યૂ કરાવે છે.
મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, 23મેંનાં રોજ જ્યારે 'ફિર એક બાર મોદી સરકાર' આવશે તો મહારાષ્ટ્રનાં તમામ ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવશે. સરકાર પાકોની સ્ટોરેજ ક્ષમતાને વધારવાનો પણ પ્રયાસ કરી રહેલ છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 સીટોં છે. લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણમાં મંગળવારનાં રોજ 23 એપ્રિલનાં રોજ મહારાષ્ટ્રની 15 લોકસભા સીટોં પર વોટ નાખવામાં આવશે.