સાતમા અને અંતિમ ચરણની લોકસભા ચૂંટણીની 59 સંસદીય સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના લગભગ 10.17 કરોડ મતદારો 918 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે.
સાતમાં અને અંતિમ ચરણના મતદાનમાં પંજાબ(13), ઉત્તરપ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), બિહાર (8), હિમાચલ પ્રદેશ(4), મધ્યપ્રદેશ (8), ઝાલખંડ (4), ચંદીગઢ (1) સીટો પર મતદાન થશે. આ ચરણમાં 10.01 કરોડથી વધારે મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે મતદાન સંપન્ન કરવા માટે 1.12 લાખ મતદાન કેન્દ્ર બનાવ્યા છે.
અંતિમ ચરણ માટેની સૌથી મહત્વપૂર્ણ સીટ
વારાણસી (ઉત્તરપ્રદેશ)
નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની વારાણસી સીટથી ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ નામાંકનના દિવસે અહીં રોડ શો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડશો કર્યો હતો. આ સીટ પર અન્ય ઉમેદવારમાં બીએસપી અને સપાના સંયુક્ત ઉમેદવાર શાલિની યાદવ છે.
ગોરખપુર (ઉત્તરપ્રદેશ)
મુખ્યમંત્રી આદિત્યનાથનો ગઢ માનવામાં આવતી ગોરખપુર સીટ પર ભાજપ તરફથી ભોજપુરી અભિનેતા રવિકિશન ચૂંટણી લડી રહ્યા છે. અહીં મુક્ય ટક્કર કિશન અને મહાગઠબંધનના ઉમેદવાર નિષાદ વચ્ચે માનવામાં આવે છે. આ એક એવી સીટ છે જેને સપા ભાજપ પાસેથી છીનવી શકે છે. ભાજપને 2018માં અહીં હારનો સામનો કરવો પડ્યો હતો.
ગાજીપુર (ઉત્તરપ્રદેશ)
અહીં ભાજપ તરફથી ઉમેદવાર મનોજ સિન્હા અને સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર અફજાલ અંસારી વચ્ચે મુકાબલો છે. સિન્હા પોતાના વિકાસ કાર્યો અને નરેન્દ્ર મોદીની છબી પર નિર્ભર છે,જ્યારે અંસારી ગઠબંધનને કારણે મજબૂત જોવા મળી રહ્યા છે.
મિર્જાપુર (ઉત્તરપ્રદેશ)
અહીં 1405539 મતદાતાઓમાં કુર્મી સમુદાયની સંખ્યા ઘણી છે. અહીં અનુપ્રિયા પટેલ તેમનું સમર્થન મેળવે છે. પરંતુ અપના દળ બે ભાગમાં વંહેચાઇ ગયું છે જેમાં અનુપ્રિયા પટેલની માતાના સમર્થક કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે.
પટના સાહિબ (બિહાર)
શત્રુઘ્ન સિન્હા આ વખતે કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે ઉભા છે. જ્યારે ભાજપે રવિશંકર પ્રસાદને ઉભા રાખ્યા છે. આ સીટ પર કાયસ્થ સમૂદાય નિર્ણાયક વોટ માનવામાં આવે છે. અહીં રવિશંકર પ્રસાદ પૂર્ણ રીતે મોદી સરકારની ઉપલબ્ધિઓ પર નિર્ભર છે.
આરા (બિહાર)
આરા એક માત્ર એવી સીટ છે જેને લાલૂ પ્રસાદની આગેવાની વાલી રાજદે ભાકપા-માલે માટે છોડી હતી. રાજૂ યાદવનો અહીં સીધો મુકાબલો ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજકુમાર સિહ સામે છે.
બક્સર (બિહાર)
મોદી સરકારમાં રાજ્યમંત્રી હોવા છતા ભાજપના અશ્વિની કુમાર ચૌબે પૂર્ણ પણે મોદી પર નિર્ભર છે. જોકે સ્થાનિય લોકો તેમના પ્રદર્શનથી નાખુશ છે. બ્રાહ્મણ બહુમતી ધરાવતી આ સીટ પર રાજપૂત વોટ મહત્વપૂર્ણ છે. જો જગદાનંદ સિંહને રાજપૂત વોટોના 30 ટકા વોટ પણ મળે છે તો અશ્વિની કુમાર ચૌબે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
પાટલી પુત્ર (બિહાર)
રાજદ પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદના પૂર્વ સહયોગી રામ કૃપાલ યાદવ મોદીની અપીલ પર નિર્ભર છે. લાલૂ પ્રસાદની દિકરી પિતાના સહયોગીઓની સહાનુભૂતિ મેળવવાની આશા રાખી રહ્યા છે.
ગુરુદાસપુર (પંજાબ)
ભાજપની રાષ્ટ્રીય સુરક્ષાને પોતાનો ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. અને સની દેઓલ પણ દેશભક્તિની ફિલ્મોને કારણે પ્રસિદ્ધ છે. ભાજપના ઉમેદવાર સની દેઓલ સામે કોંગ્રેસના
દિગ્ગજ બલરામ જાખડના દિકરાને ઉભા રાખવામાં આવ્યા છે. જે વિકાસ કાર્યો દ્વારા પોતાની નાવ પાર લગાવવા પ્રયાસ કરશે.
અમૃતસર (પંજાબ)
કેપ્ટન અમરિન્દર સિંહ જે 2014માં ભાજપના અરુણ જેટલીને હરાવ્યા હતા, આ વખતે ભાજપના હરદીપ સિંહ પુરીને હરાવવા માટે એક તક છોડવા માંગતા નથી.