બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ પર મોટુ નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારનું કહેવું છે કે કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ દૂર ન કરી શકાય. દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં સામેલ થવા જતા પહેલા નીતિશ કુમારે પત્રકારો સાથે વાતચિત કરી.
એમણે કહ્યું, 'કલમ 370 યૂનિફોર્મ સિવિલ કોડ અને રામ મંદિર જેવા મુદ્દા પર જનતા દળ યૂનાઇટેડ પહેલા જ સ્પષ્ટતા કરી ચૂકી છે. કલમ 370 અને યૂનિફોર્મ સિવિલ કોડ જનતા પર થોપવા ન જોઇએ. ત્યાર રામ મંદિર વિવાદ અંદરોઅંદર સહમતિ અને કોર્ટની મધ્યસ્થીથી ઉકેલવો જોઇએ. તેના પર અમે ભારતીય પાર્ટી (BJP) સાથે કોઇ મતભેદ નથી.'
મંગળવારે 23 મે ચૂંટણી પરિણામ આવતા પહેલા બીજેપીની આગેવાની વાળા એનડીએના સાથી પક્ષોની એક બેઠક દિલ્હીમાં આયોજિત કરવામાં આવી છે. તેમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ તમામ પક્ષોના પ્રમુખો સાથે વાતચિત કરશે.