નિર્ભયાનાં પિતાએ કહ્યું, 'આ વખતે મને વોટ કરવાની કોઇ જ ઇચ્છા નથી. વ્યવસ્થામાં હવે મારો વિશ્વાસ ડગમગાઇ ગયો છે.' તમને જણાવી દઇએ કે 16 ડિસેમ્બર, 2012ની રાત્રીએ નિર્ભયા (કાલ્પનિક નામ)ની સાથે બર્બરતાપૂર્ણ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનું જોર પકડવાની સાથે સાથે નેતા જ્યાં લોકોએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહેલ છે ત્યારે 16 ડિસેમ્બર 2012ની રાત્રીએ દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો શિકાર થયેલ વિદ્યાર્થીની નિર્ભયાનાં માતા-પિતાનું કહેવું એમ છે કે તેઓ આ વખતે વોટ નહીં દે. પૂરા દેશની સંવેદનાઓને સંપૂર્ણ રીતે હલબલાવી મૂકનાર આ મામલામાં પીડિતા નિર્ભયાની સાથે બર્બરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ કર્યુ અને બાદમાં તેનું મોત થઇ ગયું હતું.
વાયદાઓથી થાકી ચૂક્યાં નિર્ભયાનાં માતા-પિતાઃ
દંપતીનું કહેવું એમ છે કે પાર્ટીઓ દ્વારા તેમને કરવામાં આવેલા ન્યાયનાં વાયદાઓથી તેઓ થાકી ચૂક્યાં છે અને આને વિશે કંઇ પણ કરવામાં નથી આવી રહ્યું. ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રીનાં રોજ સામૂહિક દુષ્કર્મનો શિકાર થયેલ પેરામેડિકલ વિદ્યાર્થીની આ ઘટનાનાં 11 દિવસ બાદ સિંગાપુરની એક હોસ્પિટલમાં તેનું મોત થઇ ગયું હતું. વિદ્યાર્થીનીને બાદમાં 'નિર્ભયા'નાં રૂપમાં બધાં ઓળખવા લાગ્યાં.
નિર્ભયાનાં માતા-પિતાનું કહેવું એમ છે કે પાર્ટીઓ દ્વારા દર્શાવવામાં આવેલ સહાનુભૂતિ અને તેઓનાં વાયદાઓ માત્ર એક 'રાજનૈતિક નોટંકી' છે કેમ કે દોષી હજી પણ જીવિત છે. દંપતીએ એવો આરોપ લગાવ્યો છે કે રસ્તાઓ શહેરની મહિલાઓ અને બાળકો માટે અસુરક્ષિત બની ગયેલ છે. તેઓએ એવો આરોપ લગાવ્યો છે કે સરકારોએ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પર્યાપ્ત પગલાંઓ નથી ઉઠાવ્યાં. તેઓએ કહ્યું કે, 'CCTV કેમેરાઓ પણ હજી સુધી નથી લગાવ્યાં. દેશ હજી સુધી પણ અસુરક્ષિત છે.'