બીજેપી નેતાઓનાં કમલનાથ સરકાર તોડી પાડવાનાં દાવા બાદ મંત્રી પીસી શર્માએ એમ કહીને સૌને ચોંકાવી દીધાં છે કે બીજેપીનાં 25 ધારાસભ્યો અમારા પણ સંપર્કમાં છે. શર્માએ કહ્યું કે, 23નાં રોજ પરિણામ આવ્યા બાદ જો બીજેપીની સરકાર નહીં બની તો આ તમામ ધારાસભ્યો અમારી સાથે આવી જશે. ત્યારે એગ્ઝિટ પોલનાં પરિણામો પર પીસી શર્માએ જણાવ્યું કે, આ પહેલા પણ એગ્ઝિટ પોલ ફેઇલ થતા રહ્યાં છે. 23મેનાં રોજ જ્યારે પરિણામ આવશે તો એગ્ઝિટ પોલનાં આ તમામ દાવાઓ ફેલ થઇ જશે.
ફરી ખુલશે સુનીલ જોશી હત્યાકાંડની ફાઇલઃ
મધ્યપ્રદેશનાં જનસંપર્ક મંત્રી પીસી શર્માએ સુનીલ જોશી હત્યાકાંડની ફાઇલ ફરીથી ખોલવાની વાત કહી છે. તેઓએ કહ્યું કે, 'ભોપાલ લોકસભા સીટથી બીજેપીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ સાથે જોડાયેલ સુનીલ જોશી હત્યાકાંડની ફાઇલ નિશ્ચિત રૂપથી ખોલવામાં આવશે.' પીસી શર્માએ કહ્યું કે, સાધ્વીની વિચારસરણીને જોતા એવું લાગે છે કે તેઓ હત્યાકાંડમાં પણ શામેલ થઇ શકે છે.
જનસંપર્ક મંત્રીએ કહ્યું કે, શહીદ હેમંત કરકરે અને નાથુરામ ગોડસેને દેશભક્ત બનાવનારા નિવેદનવાળા સાધ્વી પ્રજ્ઞાની વિચારધારને દેખાડે છે. એવામાં સુનીલ જોશી હત્યાકાંડની પાઇલ જરૂર ખુલવી જોઇએ. જેથી માલુમ થઇ શકે કે સાધ્વી હત્યાકાંડમાં શામેલ હતી કે નહીં.
તમને જણાવી દઇએ કે એગ્ઝિટ પોલનાં પરિણામોથી ખુશ બીજેપીનાં નેતાઓનું કહેવું એમ છે કે કમલનાથ સરકાર પાસે બહુમત નથી. બીજેપી નેતાઓએ કમલનાથ સરકાર પાસે બહુમત સાબિત કરવાની માંગ કરી છે. ત્યારે કમલનાથે કહ્યું કે, બીજેપી પહેલા જ દિવસથી સરકાર પાડવાની કોશિશ કરી રહેલ છે. અમે છેલ્લાં પાંચ મહીનામાં ચાર વાર બહુમત હાંસલ કરેલ છે. તેઓ જો આવું ઇચ્છે છે તો અમને કોઇ જ સમસ્યા નથી. તેઓનો ખુલાસો ના થાય એટલાં માટે તેઓ વર્તમાન સરકાર પાડવાની કોશિશ કરી રહ્યાં છે. સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.