મેનિફેસ્ટોનાં કવર પેજ પર લખ્યું છે કે, "અમે નિભાવીશું." રાહુલે ચૂંટણી ઢંઢેરો રજૂ કરતા પી ચિદમ્બરમ, એકે એંટની અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો. આ દરમ્યાન મનમોહન સિંહે કહ્યું કે, દેશનાં દરેક ખૂણાનાં વિકાસને માટે પાર્ટીએ અનેક લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે. એક નજર કોંગ્રેસનાં 'જન અવાજ'નાં ચૂંટણી ઢંઢેરા પરની 10 મોટી વાતો પર કરી લઇએઃ
1. આ ચૂંટણી ઢંઢેરામાં 5 મહત્વનાં મુદ્દાઓ છે. ન્યાય (ન્યૂનતમ આવક યોજના)ની થીમ એ સૌથી પહેલી થીમ છે. ન્યાયને આધારે 72 હજાર રૂપિયા અને ગરીબી પર પ્રહાર. કોંગ્રેસ પાર્ટીની પ્રથમ ગેરંટી એ છે કે હિંદુસ્તાનનાં 20 ટકા ગરીબ પરિવારોને દર મહીને તેઓનાં એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઇ જશે. દર વર્ષે 72 હજાર રૂપિયા અને પાંચ વર્ષમાં એક ગરીબ પરિવારને આ યોજના અંતર્ગત 3.60 લાખ રૂપિયા મળશે.
2. ખેડૂતો અને ગરીબોનાં ખીસ્સામાં સીધા જ પૈસા જમા થશે. પીએમ મોદીએ નોટબંધી કરીને દેશની અર્થવ્યવસ્થાને જામ કરી, તે આનાંથી ખતમ થઇ જશે.
3. અમારી બીજી થીમ રોજગારની છે. દેશમાં યુવાઓને રોજગાર નથી મળી રહેલ. બે કરોડ લોકોને રોજગાર નથી મળેલ. માર્ચ 2020 સુધીમાં 22 લાખ ખાલી સરકારી જગ્યાઓ ભરાશે. રોજગાર અને ખેડૂત દેશમાં બે સૌથી મોટા મુદ્દા છે. 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં રોજગાર અપાવીશું.
4. ત્રણ વર્ષ માટે હિંદુસ્તાનનાં યુવાઓને બિઝનેસ કરવા માટે પરવાનગીની જરૂરિયાત નહીં હોય. જે બિઝનેસ કરવા ઇચ્છે છે તે કરે. બેંકનાં દરવાજા આપનાં માટે અમે ખોલીશું.
5. મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમ)ને અમે 150 દિવસની ગેરેન્ટેડ કરવા ઇચ્છીએ છીએ. અમે મનરેગાનાં 100 દિવસને વધારીને 150 દિવસ કરવા ઇચ્છીએ છીએ. પહેલાં અમારી સરકારે આને 100 દિવસ કર્યા હતાં.
6. ખેડૂતોને માટે બે મોટી વાતો વિચારી છે. ખેડૂતો માટે એક અલગ બજેટ હોવું જોઇએ. દેશનાં ખેડૂતને માલુમ હોવું જોઇએ કે તેઓને કેટલાં પૈસા મળી રહ્યાં છે, તેની એમએસપી (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) કેટલી વધારવામાં આવી રહી છે.
7. કરોડપતિ બેંક લોન લે છે પરંતુ દેવું ચૂકવ્યાં વિના પણ બચી શકશે. અમે એવો નિર્ણય લીધો છે કે જો ખેડૂતો દેવું ના ચૂકવી શકે તો હવે તે અપરાધ નહીં ગણાય પરંતુ તે સિવિલ મામલો બનશે.
8. શિક્ષાનાં ક્ષેત્રમાં અમે નિર્ણય કર્યો છે કે જીડીપીનાં 6 ટકા દેશની શિક્ષા વ્યવસ્થા પર ખર્ચ કરશે. યુનિવર્સિટી, કોલેજ, આઇઆઇટી અને આઇઆઇએમની સૌનાં માટે ઉપલબ્ધતા બનાવવા ઇચ્છીએ છીએ.
9. હેલ્થ કેરમાં અમારું જોર પ્રોજેક્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પર નહીં હોય. આ સિવાય અમે સરકારી હોસ્પિટલોને પણ મજબૂત કરવાનું કામ કરીશું. ગરીબથી ગરીબ વ્યક્તિને પણ સૌથી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળે તેની પણ કોંગ્રેસની સરકાર આવવા પર કરવામાં આવશે. અમારું ફોકસ હશે કે ગરીબથી ગરીબ વ્યક્તિને હાઇ ક્વોલિટી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.
10. કોંગ્રેસ પાર્ટી દેશને જોડવાનું કામ કરશે. નેશનલ અને ઇન્ટરનલ પોલિસી પર અમારું જોર સૌથી વધુ રહેશે. દેશમાં મુખ્ય મુદ્દો રોજગારનો છે.