ટિકિટ જાહેરાતમાં મોડું થયાં બાદ ઇન્દોરથી વર્તમાન સાંસદ સુમિત્રા મહાજને કહ્યું કે, 'હવે નથી લડવી ચૂંટણી.' લોકસભા અધ્યક્ષ અને ઇન્દોરથી વર્તમાન સાંસદ સુમિત્રા મહાજને ચૂંટણી લડવાંથી ઇન્કાર કરી દીધેલ છે. ઇન્દોર સીટથી ઉમેદવારી જાહેર કરવાનાં ભાજપનાં અસમંજસ બાદ મહાજને આ નિર્ણય કર્યો છે.
આઠમી વાર લોકસભામાં સાંસદ રહેલ મહાજને દિલ્હીમાં એક પ્રેસ જાહેરાત રજૂ કરીને સવાલ કર્યો, "ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી ઇન્દોરમાં પોતાનો ઉમેદવાર જાહેર નથી કરેલ. આ અનિર્ણયની સ્થિતિ કેમ છે? સંભવ છે કે પાર્ટીને નિર્ણય લેવામાં કંઇક સંકોચ થઇ રહેલ છે."
તેઓએ એમ પણ લખ્યું કે તેઓ આ સંબંધમાં પાર્ટીનાં વરિષ્ઠો સાથે પહેલાં ચર્ચા કરી ચૂકેલ છે. તેઓએ કહ્યું કે, "મેં નિર્ણય તેમનાં પર છોડ્યો હતો."
ઉમેદવારની જાહેરાતને લઇને પાર્ટીનાં હજી પણ અસમંજસમાં હોવાનો હવાલો આપતાં કહ્યું કે, લોકસભા અધ્યક્ષે ભાજપથી નિઃસંકોચ થઇને મુક્ત મનથી નિર્ણય કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, "હું એ જાહેરાત કરું છું કે મારે હવે લોકસભા ચૂંટણી નથી લડવી." મહાજને કહ્યું કે, "અપેક્ષા કરું છું કે પાર્ટી ઉમેદવારનાં નામ પર જલ્દી જ નિર્ણય કરે કેમ કે આવનારાં દિવસોમાં તમામે કામ કરવામાં સુવિધા હશે તથા અસમંજસની સ્થિતિ સમાપ્ત થશે."
તેઓએ ઇન્દોરની જનતાને મળેલ પ્રેમ અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને મળેલ સહયોગને માટે તેઓને ધન્યવાદ પાઠવ્યાં. જો મહાજનને ટિકિટ નહીં મળે તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા બાદ તેઓ ભાજપનાં ચોથી વરિષ્ઠ નેતા હશે કે જે આ ચૂંટણીમાં ઉમેદવાર નહીં બને.