લોકસભા ચૂંટણી 2019નાં સાતે સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગઈ કાલનાં રવિવારનાં રોજ સામે આવેલા લગભગ મોટા ભાગનાં એગ્ઝિટ પોલમાં ફરી એક વાર ભાજપની આગેવાની હેઠળ NDAને જ સ્પષ્ટ બહુમત મળતી દર્શાવવામાં આવી છે. ત્યારે છેલ્લાં 5 વર્ષ દરમ્યાન મોદી સરકાર અનેક મુદ્દાઓને લઇને વિપક્ષનાં નિશાન પર રહી છે. જો કે, સરકારે અનેક એવાં કાર્યો કર્યા છે. જેને આમ જનતાનાં મનમાં ખૂબ સારી એવી છાપ છોડી દીધી છે.
એગ્ઝિટ પોલમાં તો ભાજપને એકલાને 300થી વધારે બેઠકો મળતી દેખાડવામાં આવી છે. જે 2014 કરતા પણ વધારે છે. તમને જણાવી દઇએ કે 2014માં ભાજપને 282 બેઠકો મળી હતી. આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે સરકાર તરફથી કરવામાં આવેલ તે કાર્યો કે જેઓએ એગ્જિટ પોલમાં NDAની સીટોને 300 પાર પહોંચાડી દીધેલ છે.
નોટબંધીઃ
મોદી સરકારે જ્યારે નોટબંધીનું પગલું ઉઠાવ્યું તો તેની પર સૌથી વધુ વિવાદ જોવાં મળ્યો. કારણ કે, તે સમયમાં 15.41 લાખ કરોડ રૂપિયાની નોટો બંધ થઈ હતી અને તેમાંથી 15.30 લાખ કરોડ રૂપિયાની નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ. તજજ્ઞોનાં મતે, આ નિર્ણયનાં પગલે દેશમાં ઇન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં વધારો થયો. જે પહેલા રિયલ સ્ટેટ જેવા ક્ષેત્રોમાં લાગતો હતો, તે નોટબંધી બાદ મ્યૂચુઅલ ફંડ તરફ વળ્યો.
GST:
મોદી સરકાર તરફથી જે સૌથી મોટું રિફોર્મ થયું તે GST હતું. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારે તેને લઈને એક કમિટી બનાવી હતી અને તેનાં 18 વર્ષ બાદ મોદી સરકારમાં તેને લાગુ કરવામાં આવ્યું. GSTને યૂપીએ વન અને યૂપીએ-ટુ દ્વારા લાગુ ન હોતું કરી શકાયુ. સૌથી ઝડપી GST લાગુ કરવાનો શ્રેય પણ મોદી સરકારને ફાળે જાય છે.
બેંકરપ્સી કાયદોઃ
1994થી ઓમકાર ગોસ્વામીની એક સમિતિ હતી, જેની પહેલા માત્ર ચર્ચા જ ચાલી રહી હતી. પરંતુ, મોદી સરકારે સત્તામાં આવતા જ 25 વર્ષ બાદ બેંકરપ્સી કાયદો લાવી. આ કાયદા અંતર્ગત જ ગત વર્ષે 2018-2019 દરમિયાન 70 હજાર કરોડ રૂપિયાની રિકવરી થઈ શકી. રિકવરીનો રેટ પણ ઘણો સારો રહ્યો. જો 100 રૂપિયાની લોન અમાઉન્ટ ક્યાંક ફસાયેલ છે તો 43 રૂપિયા પરત આવી ગયા.
રેરા (RERA):
રેરા કાયદો એટલે બિલ્ડરોની મનમાની પ લગામ લગાવનાર કાયદો. દેશનાં સામાન્યથી લઈને તમામ સ્તરનાં લોકોને અહીં ખૂબ મોટી રાહત આપવામાં આવી છે. મોદી સરકાર તરફથી લાવવામાં આવેલ આ ખૂબ મોટું રિફોર્મનું પગલું હતું. જ્યાર બાદ હવે લોકોને સમય પર ઘર મળવા લાગ્યાં.
ઇન્ફ્લેશન ટાર્ગેટિંગઃ
ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એક એવો રિફોર્મ હતું, જેનાં વિશે સામાન્ય લોકોને કંઇ ખાસ જાણકારી ન હોતી. પરંતુ આઝાદી બાદ નરેન્દ્ર મોદીની એવી પહેલી સરકાર હતી, જેણે RBIને એક મોંઘવારીનો ટાર્ગેટ આપ્યો. તેની અસર એ થઈ કે જ્યાં યૂપીએનાં સમયમાં દેશે 15 ટકા સુધી મોંઘવારી જોઈ. જ્યારે મોદી સરકાર બની તો રિટેલ ઇન્ફ્લેશનનો દર 9 ટકા હતો. પરંતુ હાલમાં મોંઘવારીનો દર માત્ર 3 ટકા છે. છેલ્લાં ત્રણ વર્ષોથી દેશમાં 5 ટકાથી વધુ મોંઘવારી જોવાં નથી મળી.
બેંક રીકેપિટલાઇજેશનઃ
તેનાં આધાર પ સરકારી બેંકોમાં 1.06 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું. જે મુદ્દે એવું પણ કહેવામાં આવે છે કે જો તે પહેલાં જ થઈ જાત તો દેશ માટે તે સારું હતું.