ચૂંટણી આયોગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' રીલિઝ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી. બાયોપિકને રિલીઝ કરવી અથવા તો ન કરવી એ નિર્ણય સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ પર છોડી દીધો હતો. ત્યારે વિપક્ષ છેલ્લાં કેટલાંય દિવસોથી સતત આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી કેમ કે તેઓનું કહેવું એમ છે કે આનાંથી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે. ફિલ્મની રિલીઝથી એક પાર્ટી અથવા તો વ્યક્તિ વિશેષ પ્રત્યે મતદાતા પણ પ્રભાવિત થશે.
ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય એવાં સમય પર આવ્યો છે કે જ્યારે એક દિવસ પહેલાં જ સેન્સર બોર્ડ દ્વારા આને યૂ સર્ટિફિકેટ મળ્યું છે. મંગળવારનાં રોજ ફિલ્મને યૂ સર્ટિફિકેટ મળ્યું હતું અને જ્યારે આ સુનિશ્ચિત કરવાનું નિર્માતાઓનાં હાથમાં હતું કે તે આને પૂર્વ નિર્ધારિત તારીખ પર રિલીઝ કરવી કે નહીં.
લોકસભા ચૂંટણીની જીદમાં પૂરા દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ છે ત્યારે એવામાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ કાર્યકર્તાએ અરજી દાખલ કરી હતી. જેનાં પર મંગળવારનાં રોજ સુનાવણી કરતા કોર્ટે અરજીને નકારી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગવાળી અરજી પર સુનાવણી નથી કરી રહેલ કેમ કે અરજી 'અપરિપક્વ' છે. ફિલ્મને હજી સેન્સર બોર્ડે પણ પ્રમાણપત્ર રજૂ નથી કરેલ.
કોર્ટે કહ્યું હતું કે જો ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રિલીઝ થાય છે જેમ કે કોંગ્રેસ કાર્યકર્તાએ એવો દાવો કર્યો તો પણ એ ઉચિત હશે કે તે નિર્વાચન આયોગની પાસે જાઓ. આ નિર્ણય ચૂંટણી આયોગે કરવાનો છે કે શું ફિલ્મ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં.