લોકસભા ચૂંટણી 2019ની ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટી હાલમાં પ્રચારમાં વ્યસ્ત છે,એવામાં તેમના સર્મથકો પણ પાર્ટીને સપોર્ટ કરવા નવા-નવા રસ્તાઓ વિચારી રહ્યા છે. આ ક્રમમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યકિતએ પોતાના દરવાજાના ડોરબેલની જગ્યાએ પોસ્ટ ચોંટાડી રાખ્યુ છે કે, જેમાં દરવાજો ખોલવા માટે મોદી-મોદીની બૂમો પાડવા માટે કહેવાયુ છે. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે.કહેવાઇ રહ્યુ છે કે ,આ ઘટના મધ્ય પ્રદેશના મુરૈનાની છે.
વાસ્તવમાં કાલે (11 એપ્રિલ)ના લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થયુ. આ દરમિયાન રાજનીતિક દળોના સમર્થકોએ પોતાના પસંદગીના નેતાને સમર્થન કરવા માટે આ પ્રકારના આઇડિયા પર કામ કરી રહ્યા છે. આ મામલો મુરૈનાના રામનગર વિસ્તારનો છે, જ્યાં કેટલાક ઘરોના દરવાજા પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યુ છે કે, ''ડોરબેલ ખરાબ છે, કૃપા કરીને દરવાજો ખોલાવવા માટે મોદી-મોદી બૂમો પાડો.''
મીડિયા રિપોર્ટ્સ મુબજ રામનગર કોલોનીના ઘણા ઘરોમાં આવા પોસ્ટર્સ લગાવેલા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનના પોસ્ટર્સ લાગેલા છે. લોકોનું કહેવુ છે ચૂંટણીના સિઝનમાં કોઇ અન્ય આવીને અમને પરેશાન ન કરે એટલા માટે લોકોએ આ નવી રીત શોધી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલ થયુ, આ પછીનુ મતદાન 18,23, 29 એપ્રિલ અને 6,12,19મેના રાખવામાં આવ્યુ છે. એવામાં બધા રાજકીય દળો પોત-પોતાની રીતે મતદાતાઓને આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.