કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદીય ક્ષેત્ર અમેઠીમાં જનસભા સંબોધી હતી. રાહુલ ગાંધી અમેઠીમાં ત્રણ ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. સલોનના પરસદેપુરમાં રાહુલ ગાંધીએ સત્તાધીશ પાર્ટી પર આરોપ લગાવ્યા હતા. ભાજપે અમેઠી અને રાયબરેલીની પ્રજા સાથે અન્યાય કર્યાના રાહુલે વાર કર્યા હતા.
2014થી સત્તામાં આવેલી ભાજપ સરકાર પર રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા હતા. પોતાના મત વિસ્તારની પ્રજાને સંબોધતા રાહુલે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રાયબરેલી અને અમેઠીની પ્રજા સાથે હાલની સરકારે અન્યાય કરી રહી છે. અમારી સરકારમાં તમારો હક બે ગણો કરીને પરત કરવામાં આવશે. અમે અમેઠીમાં સૌ ફેક્ટરીવાળો ફૂડ પાર્ક સ્થાપિત કરીશું. મારું સપનું છે કે સલોનમાં બનેલા બટેટાની ચિપ્સ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખાય.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભાજપે ગરીબોના પૈસા અંબાણી અને નીરવ મોદી જેવા અમીરોને આપ્યા છે, જેની સજા તેમને મળશે. રાહુલે વધુમાં કહ્યું કે, જે ખેડૂતો દેવું ન ચૂકવી શકે તો તેમને જેલ નહીં જવું પડે.
જનસભામાં તેમણે ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતા પાંચ કરોડ ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 10મી એપ્રિલે અમેઠીમાં ઉમેદવાર પત્ર ભર્યું હતું. જે પછી ચૂંટણી પ્રચારના કારણે તેઓ બહાર હતા. હવે ઉમેદવારી નોંધાવ્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ અમેઠીની મુલાકાત લઈ પ્રજા સમક્ષ મત માગ્યા હતા.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર રાફેલ મામલે પણ પ્રહાર કર્યા છે. રાહુલે અમેઠીની અને રાયબરેલીની પ્રજાને અનેક યોજનાઓ ગણાવી હતી.