લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થવા અને એક્ઝિટ પોલમાં ફરી એક વાર મોદી સરકાર બનવાની સંભાવના બાદ ઇવીએમને લઇને રાજકીય ઘમાસાણ સર્જાઇ રહ્યા છે. ઇવીએમ અને વીવીપેડના મુદ્દે 22 વિપક્ષી પાર્ટીઓના નેતાની બેઠક કરાઇ. બાદમાં ચૂંટણી પંચને કાઉન્ટિંગ પહેલા તમામ વીવીપેટ સ્લીપની ગણતરીની માંગ કરાઇ છે. ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એક નિવેદન જાહેર કરતા ઇવીએમની સુરક્ષાને લઇને ચિંતા દર્શાવી છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઇવીએમ પર ચિંતા દર્શાવતા કહ્યું કે, એમણે જનમત સાથે છેડછાડના સમાચારને લઇને ચિંતિત છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે, ઇવીએમની સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની છે. એમણે કહ્યું કે લોકતંત્ર પર સવાલ ઉભા કરતી અટકળો ને કોઇ સ્થાન નથી તથા લોકોનો જનાદેશ પવિત્ર છે. કોઇપણ શંકાથી મુક્ત રહેવો જોઇએ.
— Pranab Mukherjee (@CitiznMukherjee) May 21, 2019
પ્રણવ મુખર્જીએ સાથે કહ્યું કે ભારતીય લોકતંત્રના મુળ આધારને પડકાર આપનાર કોઇપણ અટકળો માટે કોઇ સ્થાન ન હોવું જોઇએ. પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નિવેદનમાં કહ્યું કે, 'હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના સમાચારને લઇને ચિંતિત છું. ઇવીએમની સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની છે જે ચૂંટણી પંચની દેખરેખમાં છે.'
એમણે કહ્યું કે જનાદેશ અત્યંત પવિત્ર હોય છે અને તેમા લેશમાત્ર પણ શંકા ન હોવી જોઇએ. સાથે પ્રણવ મુખર્જીએ કહ્યું કે ' આ મામલે સંસ્થાગત સત્યનિષ્ઠા સુનિશ્ચિત કરવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચ પર છે. તેમણે એને પૂર્ણ કરતા તમામ અટકળો પર વિરામ લગાવવો જોઇએ.
આ પહેલા પ્રણવ મુખર્જીએ સોમવારે લોકસભા ચૂંટણીના શાનદાર રીતે સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. એક પુસ્તક વિમોચન પ્રસંગે એમણે કહ્યું કે ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનના સમયથી લઇને વર્તમાન ચૂંટણી કમિશ્નર સુધી સંસ્થાને સારું કાર્ય કર્યું છે.